યુએસની વ્યાવસાયિક રાજધાની શિકાગોમાં નવા ટેક્સ ફ્રેમવર્કથી ટ્રેડિંગ કંપનીઓ શહેર છોડવા મજબૂર

યુએસની વ્યાવસાયિક રાજધાની શિકાગોમાં નવા ટેક્સ ફ્રેમવર્કથી ટ્રેડિંગ કંપનીઓ શહેર છોડવા મજબૂર

અમેરિકાનું ત્રીજુ સૌથી વધુ વસતી ધરાવતા શહેર શિકાગોનું અર્થતંત્ર રિસ્કી ઝોનમાં છે. તે અમેરિકન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, સંસ્કૃતિ, રાજકારણ, શિક્ષણ વ્યવસ્થા અને અર્થતંત્રનું એક મોટું કેન્દ્ર છે. શિકાગોને પશ્ચિમ-મધ્ય અમેરિકાની વ્યાવસાયિક અને સાંસ્કૃતિક રાજધાની પણ કહેવાય છે. આ શહેરમાં દુનિયાની સૌથી મોટી ડેરિવેટિવ એટલે કે ફ્યુચન ઑપ્શનમાં ટ્રેડ કરતી કંપનીઓ છે. શેરમાર્કેટથી લઇને મકાઇના વાયદા કારોબાર સુધી જોડાયેલી આ કંપનીઓ દર વર્ષે લગભગ ત્રણ લાખ કરોડ ડૉલર (83.3 લાખ કરોડ રૂપિયા)થી પણ વધુની લેવડદેવડ કરે છે. તે ભારતના સમગ્ર અર્થતંત્રથી થોડી જ ઓછી છે. શહેરની 6 લાખ કરોડથી પણ વધુ કદની ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી હજારો લોકોને રોજગારી પણ પૂરી પાડે છે.

પરંતુ આ કંપનીઓ પર હવે નવા મેયર દ્વારા $800 મિલિયન (6600 કરોડ રૂપિયા)નો ટેક્સ પ્રસ્તાવિત છે. શહેર સંકટમાં છે, મોંઘવારીને કારણે ખર્ચમાં વધારો થયો છે અને શરણાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે. અધિકારીઓ આગામી વર્ષે 4,500 કરોડ રૂપિયાની ખોટનું અનુમાન વ્યક્ત કરી રહ્યાં છે. એક આઇડિયા એ છે કે ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન પર આ ટેક્સ લાગૂ કરવામાં આવે. આ કારણથી અનેક કંપનીઓએ શહેર છોડવાનું નક્કી કર્યું છે.

શહેરમાં એક તરફ વધતા ગુનાઓથી કંપનીઓ પહેલાથી જ પરેાશન છે. કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓએ પરસ્પર વાતચીત દરમિયાન એ નિર્ણય લીધો છે કે જો શહેરમાં ગુનાનો ગ્રાફ આ જ રીતે વધતો રહેશે અને કંપનીઓ પર નવો ટેક્સ લદાશે તો શહેર છોડવા પર વિચાર કરી શકે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow