નેન્સી પેલોસીના પતિ પર હથોડાથી હુમલો!

નેન્સી પેલોસીના પતિ પર હથોડાથી હુમલો!

શુક્રવારે વહેલી સવારે સાન ફ્રાન્સિસ્કોમાં યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર નેન્સી પેલોસીના ઘરે એક હુમલાખોર ઘૂસી ગયો હતો અને તેના પતિ પર હથોડી વડે હુમલો કર્યો હતો. ઘટનાથી વાકેફ લોકોએ આ માહિતી આપી હતી. નેન્સીના પતિ પોલ પેલોસી પર એક બોથડ હથિયારથી હુમલો કરાતા માથા અને શરીર પર ઇજાઓ થઈ હતી. આ ઘટનાથી વાકેફ બે લોકોએ શુક્રવારે એસોસિએટેડ પ્રેસ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં ડોક્ટર તેમની સારવાર કરી રહ્યા છે. નેન્સી પેલોસીના પ્રવક્તા, ડ્રિવ હેમિલે જણાવ્યું હતું કે પોલ ઇજાઓમાંથી સંપૂર્ણ સ્વસ્થ થવાની અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે નેન્સી પેલોસી થોડા સમય પહેલા જ ચીનની ધમકી પછી પણ તાઈવાનની મુલાકાતે જવા બદલ ચર્ચામાં રહ્યા હતા.

નેન્સીના પ્રવક્તા, ડ્રિવ હેમિલે જણાવ્યું હતું કે હુમલાખોરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને હુમલાના હેતુની તપાસ કરવામાં આવી રહી છે. હુમલાખોરે નેન્સીના ઘરમાં ઘૂસીને ‘ક્યાં છે નેન્સી?’ એવી બૂમો પાડી હતી. હેમિલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સ્પીકર અને તેમનો પરિવાર તબીબી કર્મચારીઓ અને ઘટના પછી તેમને મદદ કરનારા લોકોનો આભારી છે. ઉપરાંત, તેમણે વિનંતી કરી કે આ સમયે તેમની ગોપનીયતાનું સન્માન કરવામાં આવે. સંસદના સભ્યોની સુરક્ષા માટે જવાબદાર કેપિટોલ પોલીસે કહ્યું કે નેન્સી તેના પતિ પર હુમલા સમયે વોશિંગ્ટનમાં હતા. નેન્સી યુરોપમાં સુરક્ષા પરિષદ માટે આ અઠવાડિયે વોશિંગ્ટન પરત ફર્યા હતા.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow