NCERTએ ધો-10ના પુસ્તકમાંથી લોકશાહીનું આખું પ્રકરણ કાઢી નાખ્યું

NCERTએ ધો-10ના પુસ્તકમાંથી લોકશાહીનું આખું પ્રકરણ કાઢી નાખ્યું

વિદ્યાર્થીઓ પરનો બોજ ઘટાડવાના પ્રયાસ રૂપે નેશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)એ ધોરણ 10નાં નવાં પાઠ્યપુસ્તકોમાંથી તત્ત્વોના સામયિક વર્ગીકરણનું પ્રકરણ, લોકશાહી અને વિવિધતા પરનું પ્રકરણ, લોકશાહી પરના પડકારો પરનું સંપૂર્ણ પ્રકરણ અને રાજકીય પક્ષો પરનું પ્રકરણ કાઢી નાખ્યાં છે.

NCERT અનુસાર કોવિડને ધ્યાનમાં રાખતાં વિદ્યાર્થીઓ પરનો બોજ ઘટાડવા માટે આ નિર્ણય લેવાયો છે. વિજ્ઞાનનાં પાઠ્યપુસ્તકમાંથી જે પ્રકરણ હટાવવામાં આવ્યાં છે તેમાં પર્યાવરણીય ટકાઉપણું અને ઊર્જાના સ્રોતનું પ્રકરણ છે. NCERT અનુસાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પણ વિદ્યાર્થીઓ પર બોજ ઘટાડીને સર્જનાત્મક માનસિકતા સાથે તેઓને પ્રાયોગિક શિક્ષણની તકો પૂરી પાડવા પર ભાર મૂકે છે. આ સંદર્ભે, NCERTએ દરેક વર્ગ માટે પાઠ્યપુસ્તકોને વધુ તર્કસંગત કરવાનો નિર્ણય લીધો છે.

પાઠ્યપુસ્તકોમાં રહેલાં પ્રકરણોને સમાન વર્ગના અન્ય વિષયમાં સમાવિષ્ટ સમાન પ્રકરણ સાથે ઓવરલેપિંગને ધ્યાનમાં રાખીને તર્કસંગત બનાવવામાં આવ્યાં છે. જોકે વિદ્યાર્થીઓ આ પ્રકરણનો આગળ જતા અભ્યાસ કરી શકશે પરંતુ તેના માટે તેઓને ધોરણ 11 અને ધોરણ 12માં આ વિષયોને પસંદ કરવા પડશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow