Nayantharaએ જુડવા બાળકો અને પતિની સાથે કરી ક્રિસમસની ઉજવણી

Nayantharaએ જુડવા બાળકો અને પતિની સાથે કરી ક્રિસમસની ઉજવણી

નયનથારાએ પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી કરી

ક્રિસમસની ધૂમ ચોતરફ જોવા મળી રહી છે. ફિલ્મી સેલિબ્રિટીઓ પણ આ તહેવારને સંપૂર્ણ રીતે એન્જોય કરી રહ્યાં છે. સાઉથ સિનેમાની સુપરહિટ અભિનેત્રી નયનથારા હાલમાં લગ્ન બાદ બે જુડવા બાળકોની માં બની છે. આ અભિનેત્રીએ પણ પોતાના પતિ વિગ્નેશ શિવન અને બંને બાળકોની સાથે ક્રિસમસની ઉજવણી કરી, જેની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.  

નયનથારાએ પરિવાર સાથે ક્રિસમસ ઉજવી

મહત્વનું છે કે નયનથારાના લગ્ન બાદ પહેલી ક્રિસમસ છે. આ ખાસ અવસરે વિગ્નેશ અને નયનથારા બંને બાળકોને ખોળામાં લઇને ક્રિસમસ સેલિબ્રેટ કરતા દેખાય છે. જો કે, બાળકોના ચહેરા આ તસ્વીરમાં પણ બતાવવામાં આવ્યાં નથી. તો નયનથારા અને તેના પતિના ચહેરા પર નેચરલ સ્માઈલ દેખાઈ રહી છે. બાળકોની સાથે ફેસ્ટિવલના સેલિબ્રેશનનો આનંદ તમે પણ તેના ચહેરા પર જોઇ શકો છો.

વિગ્નેશ શિવને શેર કરી જુડવા બાળકો સાથેની તસ્વીર

વિગ્નેશ શિવને તેના ઈન્સ્ટાગ્રામ પર તસ્વીરની નાની જિફ બનાવીને શેર કરી છે. આ તસ્વીરમાં બંને બાળકોને રેડ કલરના કપડામાં જોઇ શકાય છે. નયનથારા કારકિર્દીની સાથે-સાથે અંગત જીવનમાં પણ એક સારા તબક્કામાંથી પણ પસાર થઇ રહી છે.

જાણો, વિગ્નેશ શિવને કેપ્શનમાં શું લખ્યું

વિગ્નેશ શિવને પોસ્ટ શેર કરી કેપ્શનમાં લખ્યું, 'ઉઈર, ઉલાગમ, નયન, વિક્કી અને પરિવાર તમને ક્રિસમસ અને નવા વર્ષની શુભેચ્છાઓ આપીએ છીએ. તમને મેરી ક્રિસમસ અને નવુ વર્ષ મુબારક. તેમણે વધુમાં લખ્યું, 'બુદ્ધી પ્રેમ બહુતાયત મેં!' અને પ્રામાણિકતાથી ઈશ્વરને પ્રાર્થના કરુ છુ કે તેઓ બધાને આવુ જીવન જીવવાની બધી ખુશી અને આશીર્વાદ આપે જેનુ તમે હંમેશા સપનુ જોયુ છે!'

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow