ભારતને નાટો પ્લસ નો દરજ્જો શક્ય, અમેરિકી કોંગ્રેસ સમિતિની ભલામણ

ભારતને નાટો પ્લસ નો દરજ્જો શક્ય, અમેરિકી કોંગ્રેસ સમિતિની ભલામણ

તાઇવાનમાં ચીનની દાદાગીરી પર લગામ લગાવવા અને તેની ઘેરાબંધી માટે અમેરિકા હવે ભારતને મજબૂત ભાગીદાર તરીકે જોઇ રહ્યું છે. અમેરિકન કોંગ્રેસની સમિતિએ ભારતને ‘નાટો પ્લસ’નો દરજ્જો આપવાની ભલામણ કરી છે. નાટો પ્લસમાં અત્યારે પાંચ દેશ છે, સમિતિની ભલામણ મંજૂર થશે તો ભારત તેનું છઠ્ઠુ સભ્ય બનશે. સમિતિનો મત છે કે ચીન તાઇવાન પર હુમલો કરે છે તો વ્યૂહાત્મક રીતે જડબાતોડ જવાબ આપવાની સાથે સાથે ક્વોડને પણ પોતાની ભૂમિકા વધારવી પડશે. ક્વોડ ચાર દેશોનું સહયોગી સંગઠન છે જેમાં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન છે.

ચીનથી મુકાબલા માટે અમેરિકાએ જી-7 દેશોની સાથેના સહયોગને વધુ મજબૂત કરવો પડશે. જાન્યુઆરીમાં રચાયેલી સમિતિએ તાઇવાન પર પોતાનો પહેલો રિપોર્ટ અને ભલામણ રજૂ કરી હતી. સમિતિની ભલામણનો સમય મહત્વપૂર્ણ છે કારણ કે વડાપ્રધાન મોદીનો આગામી 21 જૂનથી અમેરિકાનો પ્રવાસ પ્રસ્તાવિત છે.

મજબૂત પક્ષ: બાઇડેન ભારતના પક્ષમાં છે. ચીનની સાથેના વિવાદોને કારણે એશિયામાં તે ભારત સાથે વધુ મજબૂત સંબંધ ઇચ્છે છે. જનરલ માઇક મિનેહન પણ ભારતના સહયોગના પક્ષમાં છે.

ફાયદો... ભારતને શ્રેષ્ઠ ડિફેન્સ ટેક્નોલોજી મળશે
‘નાટો પ્લસ’ દેશોને અમેરિકન ડિફેન્સ ઇન્ડસ્ટ્રી અને ટેક્નોલોજીની શ્રેષ્ઠ ઉપલબ્ધતા મળે છે. ‘નાટો પ્લસ’માં આવવાથી ભારતને પણ ચુનંદા દેશોની માફક સારી અમેરિકન ડિફેન્સ ટેક્નોલોજી મળશે.

અત્યારે... ભારત મહત્ત્વનું ડિફેન્સ પાર્ટનર
અમેરિકા-ભારત વચ્ચે અત્યારે કોઇ રક્ષા કરાર નથી. પરંતુ અમેરિકાએ ભારતને મહત્વપૂર્ણ ડિફેન્સ પાર્ટનરનો દરજ્જો આપ્યો છે. તેનાથી ભારતને સંવેદનશીલ ટેકનિકની નિકાસ કરાઇ રહી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow