ભાવનગર-સોમનાથ હાઈવેની નેશનલ એવોર્ડ વિજેતા તસવીર

ભાવનગર-સોમનાથ હાઈવેની નેશનલ એવોર્ડ વિજેતા તસવીર

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા-દિલ્હી દ્વારા ભારતના નેશનલ હાઈવેની ડિજિટલ ફોટોગ્રાફી કોમ્પિટિશનમાં “કેમેરાની આંખે નેશનલ હાઈવે”નું આયોજન કરવામાં આવેલ. જેમાં ભાવનગરના ધવલ અમૂલ પરમારને ભાવનગર- સોમનાથ હાઈવેના ફોટોગ્રાફ્સને રૂપિયા 10,000નું ઇનામ મળેલ છે

2016થી શરૂ થયેલું નેશનલ હાઇવેનું કામ હજી અધૂરું
ભાવનગરથી વેરાવળ સુધીના 263 કી.મી.ના રોડનું કામ ચાર જુદા જુદા તબક્કામાં વહેંચાયું છે. અને 30 મે 2016થી શરૂ થયેલુ આ કામ હજી ભાવનગરથી તળાજા સુધી પૂર્ણ થયું છે બાકીનું કામ થોડા થોડા અંતરે થયું છે પણ 100 ટકા થયું નથી.

નેશનલ હાઈવેના કામ માટે 450 કરોડનો ખર્ચ અંદાજાયો
આમ તો ભાવનગર-સોમનાથ હાઈવેના કામને ચાર ફેઈજમાં વહેંચવામાં આવ્યું છે અને તેના માટે અલગ-અલગ રકમની ફાળવણી કરાઈ છે. જેમાં ભાવનગરથી તળાજા સુધી 819 કરોડ તળાજાથી મહુવા 645 કરોડ, હુવાથી કાગવદર 450 કરોડ અને કાગવદરથી ઉના વચ્ચે નેશનલ હાઈવેના કામ માટે 450 કરોડનો ખર્ચ અંદાજાયો છે.

મહુવાથી આગળમાં તો ઓછું કામ થયું
​​​​​​​અંતર જોઇએ તો ભાવનગર-તળાજા 48 કિ.મી, તળાજા-મહુવા 45 કિ.મી, મહુવા-કાગવદર 40 કિ.મી તેમજ કાગવદર-ઊના 49 કિ.મી.નુ઼ છે. તેમાં મોટા ભાગે કટકા કટકા કામ બાકી રહેલું છે. તો મહુવાથી આગળમાં તો ઓછું કામ થયું છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow