મવડીના ચામુંડાનગરમાં ભાડે લીધેલી કારના બે શખસે કાચ તોડ્યાના બીજા જ દિવસે આગ લાગી

મવડીના ચામુંડાનગરમાં ભાડે લીધેલી કારના બે શખસે કાચ તોડ્યાના બીજા જ દિવસે આગ લાગી

રાજકોટના મવડી વિસ્તારમાં શનિવારે મોડીરાત્રે ઘર પાસે રાખેલી ભાડાની મોંઘીદાટ કારમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી અને જોતજોતામાં કાર આગમાં ખાખ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડનો સ્ટાફ ત્યાં પહોંચે તે પહેલા જ સ્થાનિકોએ આગ બુઝાવી નાખી હતી. જોકે, આગ કયા કારણોથી લાગી અને કેટલું નુકશાન થયું તે હજુ જાણવા મળ્યું નથી. પરિવારજનોનો આક્ષેપ છે કે ભાડે લીધેલી વરના કાર ઘર પાસે રાખી હતી. શુક્રવારે 2 શખસે આવી કારના કાચ ફોડી ગયા હતા અને બાદમાં શનિવારે રાત્રે આ કાર આગમાં ખાખ થઈ ગઈ, જેથી આ આગ જાણીજોઈને કોઈએ લગાવી હોવાનો આક્ષેપ છે.

ઘટનાની જાણ થતાં ફાયર અને પોલીસ સ્થળે દોડી ગઈ રાજકોટના મવડી મેઈન રોડ ઉપર શાકમાર્કેટ આગળ ખીજડાવાળા ચોક પાસે ચામુંડાનગર શેરી નંબર 1માં રહેતા જ્યોત્સનાબેન રાઠોડે ઘરની બાજુમાં GJ 06 MD 9917 નંબરની ફોર-વ્હીલર કાર પાર્ક કરલી હતી. શનિવારે મોડીરાત્રે કારમાં આગ ભભૂકી ઉઠતા ફરિયાદી જ્યોત્સનાબેન સહિતના જાગી ગયા હતા અને ઘરમાંથી બહાર નીકળ્યા હતા. જોકે જોતજોતામાં પૂરી કાર સળગી ઉઠી હતી. જે અંગે મવડી ફાયર બ્રિગેડ વિભાગને કોલ કરવામાં આવતા રાત્રે 2.46 એ એક ફાયર ફાઇટર સાથે સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો. જોકે ત્યાં સુધીમાં સ્થાનિકોએ આગ બુઝાવી નાખી હતી. કારમાં આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. આ દરમિયાન પોલીસની 112 જનરક્ષક પણ ત્યાં પહોંચી ગઈ હતી. આગને કારણે કારમાં કેટલું નુકસાન થયું તે પણ હજુ જાણવા મળ્યું નથી.

જાણી જોઈને કોઈએ આગ લગાવ્યાનો પરિવારનો આક્ષેપ પરિવારજનોનો આક્ષેપ છે કે, શુક્રવારે બે શખસ કારના કાચ તોડી નાસી ગયા હતા. બહારગામ જવા માટે જેમની પાસેથી કાર ભાડે લીધેલી હતી, તેમની સાથે બંને શખસને વાંધો હોવાથી તેમણે કાચ ફોડી નાખ્યા હતાં. શનિવારે રાત્રે અમે સૂતા હતા, ત્યારે અચાનક કારમાં આગ લાગી હતી અને કાર આગમાં ખાખ થઈ. માત્ર ખોખું જ રહ્યુ છે, જેથી કોઈએ આગ લગાવી છે. માલવિયા નગર પોલીસ મથકમાં આ અંગે જાણકારી છે, પરંતુ હજુ સુધી ત્યાંથી કોઈ જવાબ આવ્યો નથી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow