મુંબઈમાં વરસાદ-ભીડને કારણે મોનોરેલ પાટા પર ફસાઈ

મુંબઈમાં વરસાદ-ભીડને કારણે મોનોરેલ પાટા પર ફસાઈ

મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં સતત બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. મંગળવારે મુંબઈના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. રેલ, બસ, હવાઈ સેવાઓને ભારે અસર થઈ છે.

મોનોરેલ સેવાને પણ અસર થઈ હતી. સાંજે 6 વાગ્યે મૈસુર કોલોની રેલવે સ્ટેશન નજીક એલિવેટેડ ટ્રેક પર એક મોનોરેલ ફસાઈ ગઈ હતી. ટ્રેનમાં હાજર લગભગ 500 મુસાફરોને ક્રેનની મદદથી કોચ તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા. MMRDAએ જણાવ્યું હતું કે ભીડ વધવાને કારણે આવું થયું હતું.

આ ઉપરાંત, મધ્ય રેલવેએ 14 ટ્રેનો (7 જોડી) રદ કરી હતી. 250થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. લોકલ ટ્રેન સેવા પણ પ્રભાવિત થઈ છે. છેલ્લા બે દિવસથી મહારાષ્ટ્રમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 14 લોકોના મોત થયા છે. આમાંથી 8 નાંદેડના હતા. મુંબઈ, થાણે, રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લામાં આગામી 48 કલાક માટે રેડ એલર્ટ છે.

મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું- NDRF અને SDRF સહિત આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત બધી એજન્સીઓ હાઇ એલર્ટ પર છે. જાનમાલ અને પાકના નુકસાન માટે તાત્કાલિક મદદ પૂરી પાડવાના આદેશો છે. નાગરિકોને દર ત્રણ કલાકે હવામાન અપડેટ આપવામાં આવી રહ્યા છે.

ગુજરાતનાં 7 જિલ્લામાં રેડ એલર્ટ, ગીર પંથકની નદીઓ બે કાંઠે:રાજ્યના 21 તાલુકામાં મેઘમહેર; સૌથી વધુ માંગરોળમાં પોણાચાર ઈંચ વરસાદ; કચ્છનાં બજારોમાં પાણી ભરાયાં

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow