મ્યુ. ફંડ્સ દ્વારા ઇક્વિટીમાં 23માં રૂ.1.82 લાખ કરોડનું રોકાણ

મ્યુ. ફંડ્સ દ્વારા ઇક્વિટીમાં 23માં રૂ.1.82 લાખ કરોડનું રોકાણ

2022-23 દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ દ્વારા દેશના ઇક્વિટી માર્કેટમાં મોટા પાયે રોકાણ જોવા મળ્યું હતું. રિટેલ રોકાણકારોના મજબૂત પ્રતિસાદ અને માર્કેટમાં જોવા મળેલા કરેક્શનને કારણે વેલ્યૂએશનમાં સુધારો થવાને કારણે મ્યુચ્યુઅલ ફંડે ઇક્વિટીમાં રૂ.1.82 લાખ કરોડનું રોકાણ કર્યું હતું.

ગત નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ઇક્વિટીમાં રૂ.1.81 લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. એકવાર યુએસમાં ફુગાવો ઘટે અને યુએસ ફેડ રિઝર્વ નાણાકીય નીતિમાં ફેરફાર કરે એટલે ચાલુ નાણાકીય વર્ષ માટે ઇક્વિટીના પરફોર્મન્સમાં વધુ સુધારો જોવા મળશે. વૈશ્વિક સ્તરે મોટા ભાગના વિકસિત અર્થતંત્રમાં વૃદ્ધિમાં ઘટાડાના અણસાર વચ્ચે લાંબા ગાળે ભારતનું પ્રદર્શન સુધરશે તેવી શક્યતા છે.

ફુગાવા વચ્ચે નોંધપાત્ર રિટર્ન માટે ઇક્વિટી માર્કેટની પસંદગી
દેશમાં ફુગાવા વચ્ચે પણ રોકાણકારોને નોંધપાત્ર રિટર્ન આપવામાં ઇક્વિટી માર્કેટ સફળ રહ્યું છે. NSEના બેન્ચમાર્કનું છેલ્લા 22 વર્ષનું પરફોર્મન્સ દર્શાવે છે કે જે રીતે રોકાણકારો સમજે છે એટલું ઇક્વિટી માર્કેટ જોખમી નથી પરંતુ ફુગાવા દરમિયાન પણ મજબૂત રિટર્ન આપે છે. ઇતિહાસમાં માત્ર ચાર વખત નિફ્ટીએ રોકાણકારોને નેગેટિવ રિટર્ન આપ્યું છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow