મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. કંપનીના શેરમાં એક જ દિવસમાં 41% થી વધુના ઉછાળાને કારણે, તેમની કુલ સંપત્તિમાં લગભગ 9 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે, જે ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કુલ સંપત્તિ જેટલી છે.

બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, ટેસ્લાના સ્થાપક ઈલોન મસ્ક હવે બીજા સ્થાને સરકી ગયા છે. લેરી એલિસનની કુલ સંપત્તિ $393 બિલિયન એટલે કે લગભગ રૂ. 34.60 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. જ્યારે ઈલોન મસ્કની કુલ સંપત્તિ $385 બિલિયન એટલે કે લગભગ રૂ. 33.90 લાખ કરોડ છે.

ઓરેકલ (ORCL)એ મંગળવારે સાંજે તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા, જે અપેક્ષાઓ કરતા ઘણા સારા હતા. કંપનીએ જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની વધતી માગને કારણે, તેના ડેટા સેન્ટર અને ક્લાઉડ સર્વિસની માગ આસમાને પહોંચી રહી છે.

ઓરેકલના સીઈઓ સફરા કેટ્ઝે મંગળવારે એક એનાલિસ્ટ કોલમાં જણાવ્યું હતું કે કંપનીએ પ્રથમ ક્વાર્ટરમાં ત્રણ અલગ અલગ ગ્રાહકો સાથે ચાર મોટા અબજ ડોલરના કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેનાથી તેનું બુકિંગ $455 બિલિયન થયું છે, જે એક વર્ષ પહેલાના આંકડા કરતા ચાર ગણું છે.

ઓરેકલના ચેરમેન અને ચીફ ટેક્નોલોજી ઓફિસર એલિસન કંપનીના 116 કરોડ શેર ધરાવે છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, તેમની કુલ સંપત્તિમાં એક દિવસમાં $101 બિલિયન (લગભગ ₹9 લાખ કરોડ)નો વધારો થયો છે, જે આ ઇન્ડેક્સના ઇતિહાસમાં એક દિવસનો સૌથી મોટો રેકોર્ડ ઉછાળો છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow