દુનિયામાં સૌથી વધુ લોકો પાયલટ તો ભારતમાં લેખક બનવા માગે છે

દુનિયામાં સૌથી વધુ લોકો પાયલટ તો ભારતમાં લેખક બનવા માગે છે

દુનિયામાં મોટાભાગના લોકોને પાયલટની જોબ પસંદ છે, જ્યારે ભારતમાં મોટાભાગના લોકો લેખક બનવા માગે છે. તાજેતરમાં રેમિટલી કંપની દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ માહિતી સામે આવી છે. સારો પગાર તેમજ વિવિધ સુવિધાઓને જોતા લોકોને પાયલોટ બનવું વધારે પસંદ છે. રેમિટલીને ગૂગલ પર છેલ્લા 12 મહિનામાં નોકરીની શોધ કરતા લોકોનું વિશ્લેષણ કરીને આ અંગેનો રિપોર્ટ જાહેર કર્યો છે.

કંપનીએ 200 પ્રકારની જોબ સર્ચના આંકડાઓનું વિશ્લેષણ કર્યું છે. જેમાં અમેરિકા, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયા સહિત 25 દેશોના 9,30,630 લોકોએ પાયલોટ બનવા ગૂગલ સર્ચ કર્યું છે, જે ટોચ પર છે. જ્યારે બીજા નંબરે લેખક બનવા માટે 8,01,200 લોકોએ સર્ચ કર્યું હતું. ભારત સિવાય ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સહિત 75 દેશો નોકરી માટે ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં ટોચ પર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સારા પગાર, સારી સુવિધા તેમજ મુસાફરીની તકો માટે પાયલોટની નોકરી સૌથી વધુ લોકો પસંદ કરતા હોય છે.

ચીનમાં ‘ડાયટિશિયન’ ડ્રીમ જોબ...
ચીનમાં ડાયેટિશિયન બનવા ઈચ્છતા લોકોની સંખ્યા સૌથી વધુ છે. જર્મનીમાં પ્રોફેસર અને જાપાનમાં YouTuber બનવા લોકો ઇચ્છે છે.

જો પડોશી દેશોની વાત કરીએ તો પાકિસ્તાન, ભૂતાન અને બાંગ્લાદેશમાં પણ લેખક બનવા લોકો ઇચ્છે છે. આરબમાં મોટાભાગના લોકો કવિ બનવા માંગે છે, જ્યારે ઇજિપ્તમાં મોટા ભાગના ફૂટબોલ કોચ બનવા માગે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow