વાળમાં મહેંદી લગાવ્યા બાદ મોટાભાગના લોકોને થાય છે આ મુશ્કેલીઓ, આ સરળ ટીપ્સ ફોલો કરો ચમકી ઉઠશે વાળ

વાળમાં મહેંદી લગાવ્યા બાદ મોટાભાગના લોકોને થાય છે આ મુશ્કેલીઓ, આ સરળ ટીપ્સ ફોલો કરો ચમકી ઉઠશે વાળ

આજકાલ નાની ઉંમરના લોકોને વાળ સફેદ થવાની ​​સમસ્યા થવા લાગી છે. જ્યારે ઘણા લોકો આ સમસ્યાને છુપાવવા માટે વાળમાં કલર લગાવે છે. પરંતુ ઘણા લોકો પોતાના વાળને સુંદર બનાવવા માટે મહેંદી લગાવે છે. પરંતુ વાળને ચમકદાર અને સુંદર બનાવવા માટે વાળમાં કેમિકલયુક્ત મહેંદી ન લગાવવી જોઈએ.‌

‌‌બજારમાં મળતી આવી મહેંદી તમારા વાળનો કુદરતી રંગ બગાડી શકે છે. ઉપરાંત તે તમારા વાળને ડ્રાય અને બેજાન બનાવે છે. આવી સ્થિતિમાં અમે તમને અહીં જણાવીશું કે મહેંદી લગાવ્યા પછી વાળને ડ્રાય થતા કઈ રીતે બચાવવા.

વાળને સુંદર બનાવવા માટે આ રીતે લગાવો મહેંદી‌‌મહેંદી લગાવ્યા પછી દહીંનો ઉપયોગ કરો‌‌

ઘણા લોકો મહેંદી લગાવ્યા પછી સીધા જ શેમ્પૂથી વાળ ધોઈ નાખે છે. તેનાથી વાળ ડ્રાય દેખાઈ શકે છે. તેથી જ્યારે પણ તમે વાળમાં મહેંદી લગાવો ત્યારે વાળમાં દહીંનું પેક લગાવો તેનાથી વાળની ​​ડ્રાયનેસ તો દૂર થશે જ સાથે જ ડેન્ડ્રફની સમસ્યા પણ દૂર થશે. આ માટે એક વાડકી દહીંમાં ઓલિવ ઓઈલ અને નારિયેળનું તેલ મિક્સ કરીને વાળમાં લગાવો.  

મહેંદીમાં મિક્સ કરો આમળા અને દહીં ‌‌

મહેંદી લગાવતી વખતે વાળની ​​ડીપ કન્ડિશનિંગ માટે તેમાં આમળા પાવડર અને દહીંનો ઉપયોગ કરો. આ સિવાય જો તમારા વાળ ખૂબ જ ડ્રાય હોય તો તમે ઈંડાનો ઉપયોગ કરો. તેનાથી વાળ મજબૂત થશે.

કેળા અને એલોવેરા જેલનો ઉપયોગો‌‌

વાળની ડ્રાયનેસ ઓછી કરવા માટે કેળા ઉપયોગી થઈ શકે છે. તેને લગાવવાથી તમારા વાળને ફાયદો થઈ શકશે. તે ઉપરાંત તમે મહેંદી લગાવ્યા બાદ કેળાનું માસ્ક લગાવો. તેનાથી વાળને પોષણ અને મજબૂતી મળશે. સાથે જ તમારા વાળ સોફ્ટ બનશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow