ઉચ્ચ કિંમતોથી મૂડીઝે ‘નેગેટિવ ક્રેડિટ આઉટલૂક’ રજૂ કર્યું

ઉચ્ચ કિંમતોથી મૂડીઝે ‘નેગેટિવ ક્રેડિટ આઉટલૂક’ રજૂ કર્યું

મૂડીઝે વર્ષ 2023 દરમિયાન ખાદ્યપદાર્થો તેમજ એનર્જીની ઉંચી કિંમતોને કારણે અર્થતંત્રની વૃદ્વિ રોકાવવાની અને સામાજીક તણાવ વધવાની શક્યતાને પગલે વિશ્વના દેશોની ક્રેડિટ યોગ્યતાને નેગેટિવ આઉટલૂક આપ્યું છે. તદુપરાંત નાણાકીય સ્થિતિ અને આર્થિક નુકસાન દેવાના બોજને બિનટકાઉ સ્તર તરફ ધકેલી દેશે, જ્યારે ઋણ ખર્ચમાં વધારાથી દેવા અંગેની ક્ષમતામાં ઘટાડો થશે.

વિશ્વના 13 દેશને આવરી લેવાયા છે. જ્યાં ભારત જેવો દેશ આગામી વર્ષે દેવાની ચૂકવણી માટે પોતાની કુલ આવકમાંથી 20 ટકા હિસ્સો ખર્ચ કરશે. મૂડીઝ જણાવ્યું હતું કે, વર્ષ 2023 માટે અમારો ધિરાણપાત્રતા માટેનો આઉટલુક નકારાત્મક છે. મોંઘવારી ઘટવાની શરૂઆત થશે પરંતુ ખાદ્યપદાર્થો અને એનર્જીની કિંમતો ઊંચી રહેશે જેને કારણે આર્થિક વૃદ્વિદર રુંધાશે તેમજ સામાજીક તણાવમાં વધારો થશે.

વર્ષ 2023 દરમિયાન ઉચ્ચ કિંમતો તેમજ સખત નીતિગત પગલાંને કારણે ગ્રાહક ખર્ચ, રોકાણ તેમજ ઇકોનોમિક સેન્ટિમેન્ટને અસર થતા વૈશ્વિક જીડીપી ગ્રોથ વર્ષ 2022ના 3 ટકાથી ઘટીને 1.7 ટકા રહેશે. એશિયા અન્ય દેશોને માત આપશે. ભારત જેવા વિશાળ એશિયન દેશોમાં સ્થાનિક વપરાશ, રોકાણ અને પ્રવાસન ક્ષેત્રે ફરીથી સામાન્ય થતા વૃદ્વિ 4.5 ટકાની આસપાસ રહેશે. વૈશ્વિક વૃદ્વિદર વર્ષ 2023માં ઘટશે અને 2024 દરમિયાન તે મંદ રહેશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow