મિત્રતાની અનોખી કહાની ! બે મહિલાઓ એટલી પાક્કી બહેનપણી હતી કે હંમેશા સાથે રહે એ માટે થઇને એક જ યુવક સાથે કરી લીધા લગ્ન!

મિત્રતાની અનોખી કહાની ! બે મહિલાઓ એટલી પાક્કી બહેનપણી હતી કે હંમેશા સાથે રહે એ માટે થઇને એક જ યુવક સાથે કરી લીધા લગ્ન!

આપણે ઘણી વાર સાંભળ્યું છે કે પ્રેમના આગમનને કારણે મિત્રતામાં તિરાડ પડે છે. આપણે ફિલ્મો અને પુસ્તકોમાં ઘણી વખત જોયું અને વાંચ્યું છે કે પ્રેમ મિત્રને દૂર લઈ જાય છે. પરંતુ દુનિયાએ ભાગ્યે જ એવી મિત્રતા જોઇ હશે, જેને નિભાવવા માટે બે છોકરીઓએ એક જ વ્યક્તિ સાથે લગ્ન કર્યા. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ પોતાનો પ્રેમ શેર કરવા નથી ઇચ્છતું. પરંતુ આ બંને મહિલાઓએ એક જ છોકરા સાથે ખુશીથી લગ્ન કર્યા છે. તેનું કારણ એ છે કે આ બંને ગાઢ મિત્રો છે. તેમાંથી એકના લગ્ન બાદ બંનેએ અલગ થવું પડ્યું હતું.

આવી સ્થિતિમાં, બંનેએ લગ્ન પછી પણ કાયમ સાથે રહેવા માટે આ રીતે શોધી અને પછી એક જ વ્યક્તિ સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ આ બંને મિત્રો એક જ ઘરમાં રહે છે. મિત્રતાની આ અનોખી કણની પાકિસ્તાનના મુઝફ્ફરગઢમાં રહેતા બે મિત્રોની છે. અહીં રહેતી શહનાઝ અને નૂરે એજાઝ નામની વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. એજાઝ પોતાની આજીવિકા માટે સિલાઇકામ કરે છે. ડેઇલી પાકિસ્તાન ગ્લોબલ નામની યુટ્યુબ ચેનલ સાથે વાત કરતા શહનાઝે જણાવ્યું કે પહેલા તેણે એજાઝ સાથે લગ્ન કર્યા હતા.

લગ્ન બાદ શહનાઝ તેની મિત્ર નૂરથી દૂર થઇ ગઇ હતી. આ દરમિયાન નૂર હંમેશા શહેનાઝના ઘરે જતી હતી પરંતુ બંને પહેલાની જેમ સાથે નહોતા. આવી સ્થિતિમાં નૂરે વિચાર્યું કે તે શહેનાઝના પતિ સાથે લગ્ન કરશે જેથી બંને મિત્રો સાથે રહી શકે. નૂર શહનાઝ સાથે એક જ ઘરમાં રહેવા માંગતી હતી, જેથી તેમની વચ્ચેનું અંતર સમાપ્ત થઇ જાય. જ્યારે નૂરે આ વિશે શહનાઝને જણાવ્યું તો તેને પણ આ યોગ્ય લાગ્યુ. આ પછી તેણે તેના પતિ એજાઝને નૂર સાથે લગ્ન કરવા વિશે પૂછ્યું અને તે રાજી થઈ ગયો.

આ પછી બંને મિત્રો એક જ વ્યક્તિ સાથે લગ્ન કરીને એક જ ઘરમાં ખુશીથી રહે છે. લગ્નથી શહેનાઝને બે બાળકો છે અને નૂરને એક બાળક છે. સમય વીતવા છતાં બંને મિત્રો વચ્ચેનો પ્રેમ એવો જ છે. આ અંગે શહનાઝનું કહેવું છે કે તે પોતાના પતિ સાથે લડી શકે છે પરંતુ નૂર સાથે ક્યારેય નહીં. કારણ કે તે પોતે જ નૂરને તેના ઘરે લાવી છે. ત્યાં નૂર કહે છે કે તેને શહનાઝથી ક્યારેય કોઇ ફરિયાદ નથી. આ ત્રણેય તેમના જીવનમાં ખુશ છે. સાથે જ તેમના પતિ એજાઝ પણ બંને સાથે ખુશીથી જીવી રહ્યા છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow