મિલ્કબાસ્કેટ સર્વિસનો અમદાવાદમાં પ્રારંભ

મિલ્કબાસ્કેટ સર્વિસનો અમદાવાદમાં પ્રારંભ

રિલાયન્સ રિટેલ લિમિટેડ દ્વારા સંચાલિત ઈ-કોમર્સ એપ્લિકેશન અને દૈનિક આવશ્યક ચીજવસ્તુઓ માટે ભારતની પ્રથમ અને સૌથી મોટી માઇક્રો-ડિલિવરી સર્વિસ મિલ્કબાસ્કેટનો ગુજરાતના અમદાવાદ શહેરમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને અન્ય કેટલાક શહેરોમાં ટૂંક સમયમાં મિલ્કબાસ્કેટની સર્વિસ મળતી થઈ જશે.

મિલ્કબાસ્કેટ ગ્રોસરી શોપિંગ મોબાઇલ એપ્લિકેશને અમદાવાદમાં 20 પિન કોડ વિસ્તારોમાં ડિલિવરી કરવાનું શરૂ કર્યું છે. જેમાં નવરંગપુરા, બોપલ, સાઉથ બોપલ, વાસણા, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. અમદાવાદમાં અન્ય 18 પિન કોડ હેઠળ આવતાં વિસ્તારોમાં ડિલિવરી આગામી અઠવાડિયાઓમાં શરૂ થશે. જેમાં થલતેજ, મકરબા, ન્યુ રાણીપ, મણિનગર, ચાંદખેડા, નિકોલ અને લાંભા સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. મિલ્કબાસ્કેટ એક મહિનામાં ગાંધીનગર સહિત અમદાવાદના તમામ વિસ્તારોને આવરી લેવાની યોજના ધરાવે છે.

મિલ્કબાસ્કેટ એપ હાલમાં અમદાવાદમાં તેના નવા ગ્રાહકો માટે MILK15નો આકર્ષક પ્રારંભિક ઓફર કોડ લાવ્યું છે. એકવાર વપરાશકર્તા મિલ્કબાસ્કેટ પર MILK15 કોડ સાથે સાઇન અપ કરે તો તેને 15 દિવસ માટે તાજા દૂધના ઓર્ડર પર 100% કેશબેક મળશે. આ કોડ વડે વપરાશકર્તા મહત્તમ કેશબેક રૂ. 500 મેળવી શકે છે. આ કેશબેક પ્રથમ ટોપ-અપના 16માં દિવસે તમારા મિલ્કબાસ્કેટ વોલેટમાં જમા થાય છે. એપને પ્લેસ્ટોર અથવા એપ સ્ટોર અથવા અધિકૃત મિલ્કબાસ્કેટ વેબસાઇટ પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow