મક્કામાં પારો 48 ડિગ્રી, બે હજાર લોકોને હીટસ્ટ્રોક

મક્કામાં પારો 48 ડિગ્રી, બે હજાર લોકોને હીટસ્ટ્રોક

હજયાત્રા માટે આ વર્ષે વિશ્વના 160 દેશોમાંથી 18 લાખથી વધુ લોકો સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કા પહોંચ્યા છે. અહીં તાપમાનનો પારો 48 ડિગ્રી સેલ્સિયસને આંબી જતાં 2000થી વધુ લોકો હીટસ્ટ્રોકનો ભોગ બન્યા છે. ગુરુવારે 1700 બીમાર પડ્યા હતા. કોરોના બાદ લાગુ 65 વર્ષની વયમર્યાદાના નિયમને નાબૂદ થવાને કારણે આ વર્ષે મોટી સંખ્યામાં વૃદ્ધો પણ હજ યાત્રાએ પહોંચી રહ્યા છે.

સાઉદીના આરોગ્ય મંત્રાલય મુજબ મક્કામાં બનેલી હોસ્પિટલોમાં 8,400થી વધુ લોકોની સારવાર ચાલી રહી છે. પ્રશાસને લોકોને સૂર્યપ્રકાશથી બચવા અને વધુ ને વધુ પાણી પીવાની અપીલ કરી છે.

સાઉદી સરકાર દ્વારા હજયાત્રા દરમિયાન મૃત્યુઆંકની સત્તાવાર માહિતી જાહેર કરાઇ નથી પરંતુ દેશો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સૌથી વધુ 209 હજ યાત્રીઓ ઈન્ડોનેશિયામાં મૃત્યુ પામ્યા છે. તેમાંથી મોટા ભાગના લોકોનાં મૃત્યુનું કારણ હીટસ્ટ્રોક છે. ઈરાનના સૌથી વૃદ્ધ 114 વર્ષીય પ્રવાસીનું પણ મૃત્યુ થયું છે. આ સિવાય ઈરાનના 10 અન્ય લોકોના પણ હીટસ્ટ્રોકના કારણે મોત થયાં છે.

અલ્જિરિયાના 8, મોરોક્કોના 4 અને ઇજિપ્તના 8 લોકો હજયાત્રા દરમિયાન મૃત્યુ પામ્યા છે. ફિલિપાઈન્સના એક 78 વર્ષીય વ્યક્તિની મક્કાની એક હોસ્પિટલમાં ઓપન હાર્ટ સર્જરી કરાઇ છે. ઘણા લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.લોકો પર પાણી વરસાવવા માટે ઓટોમેટિક કૂલિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ ઉપરાંત ત્યાં આવતા લોકોને પાણીની બોટલો અને છત્રીઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય 32 હજારથી વધુ આરોગ્ય કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow