રાજકોટ સ્ટ્રેચરને ભગવો રંગ કરવા મામલે નિવેદન કરનાર ડોક્ટરને તબીબી અધિક્ષકની નોટિસ

રાજકોટ સ્ટ્રેચરને ભગવો રંગ કરવા મામલે નિવેદન કરનાર ડોક્ટરને તબીબી અધિક્ષકની નોટિસ

સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચરને ભગવો કલર કરીને ચોક્કસ લોકોને ખુશ રાખવાના હોસ્પિટલના સત્તાધીશોના પ્રયાસો ખુલ્લા પડી ગયા બાદ જવાબદારો સામે કાર્યવાહીને બદલે મીડિયા સમક્ષ નિવેદન આપનાર મેડિકલ ઓફિસરને તબીબી અધિક્ષકે કારણ દર્શક નોટિસ ફટકારતા હોસ્પિટલના કર્મચારીઓમાં ગણગણાટ શરૂ થયો હતો. સિવિલના સફેદ કલરના સ્ટ્રેચર પર ભગવો કલર કરવાનો હોસ્પિટલના સત્તાધીશોએ છાનેખૂણે આદેશ આપતા રાતોરાત સ્ટ્રેચરને ભગવા રંગે રંગી દેવાયા હતા. આ મામલો પ્રકાશમાં આવતા બીજા જ દિવસે એ ભગવા રંગ પર સફેદ પીછડા મારી પોતાની ભૂલ સુધારવાનો પ્રયાસ કર્યો હતો.

સ્ટ્રેચર પર ભગવો કલર કરવાનો આદેશ કોણે આપ્યો હતો? ભગવો કલર થયા બાદ ફરીથી સફેદ કલર કરવાનો ખર્ચ થયો? સરકારી તિજોરી પર થયેલા આ આર્થિક ભારણ માટે કોણ જવાબદારછે? તેની તપાસ કરવાને બદલે ભગવા રંગનો વિવાદ થયો ત્યારે મીડિયા સાથે આ મુદ્દે વાત કરવાનો આક્ષેપ મૂકી તબીબી અધિક્ષકે હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો.રામાણીને નોટિસ ફટકારી છે. હોસ્પિટલના સત્તાધીશોનું ધ્યાન દોરવાને બદલે અન્ય માધ્યમો સાથે વાત કરી ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમોનું ઉલ્લંઘન કર્યું છે તેવું જણાવી બે દિવસમાં ડો.રામાણીને ખુલાસો કરવા તાકીદ કરવામાં આવી છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow