મેક્સિકોમાં ડ્રગ ગેંગ્સ પાસે 600 વિમાન!

મેક્સિકોમાં ડ્રગ ગેંગ્સ પાસે 600 વિમાન!

મેક્સિકો સિટીમાં ગુરુવારે કુખ્યાત ડ્રગ કાર્ટેલનો ખૂની ખેલ ફરી સામે આવ્યો. સિટી હોલમાં થયેલા ગેંગવોર ગોળીબારમાં મેયર કોનરાડો મેન્ડોઝા સહિત 18 લોકોનાં મોત થયા. લગભગ 13 કરોડની વસતી ધરાવતું મેક્સિકો 40 વર્ષથી ડ્રગ કાર્ટેલની જાળમાં ફસાયેલું છે.

અહીં અફીણ, હેરોઈન અને મારિજુઆનાની દાણચોરી એક સમાનાંતર સરકાર તરીકે કામ કરે છે. મેક્સિકોની લગભગ 150થી વધુ કાર્ટેલ વાર્ષિક લગભગ રૂ.2.50 લાખ કરોડની ડ્રગ્સની દાણચોરી અમેરિકામાં કરે છે.કાર્ટેલ એટલે કે આ સંગઠિત ટોળકીઓ પાસે લગભગ 75 હજાર ગુંડાઓની પ્રાઈવેટ સેના છે. આ કાર્ટેલ વચ્ચે ખૂની સંઘર્ષ થતો રહે છે.

મેક્સિકોના ગૃહમંત્રાલયના રિપોર્ટ અનુસાર ગેંગવોરને કારણે દેશમાં દરરોજ સરેરાશ 120 મર્ડર થાય છે. કોરોનાકાળ દરમિયાન આ સંખ્યા 118 હતી. કોરોના કાળ દરમિયાન લૉકડાઉન છતાં મેક્સિકોમાં ડ્રગ્સના ધંધા પર કોઈ લગામ ન હતી. સિનાલોઆ કાર્ટેલ પાસે 600થી વધુ વિમાન અને હેલિકોપ્ટર છે. આ સંખ્યા મેક્સિકોની સૌથી મોટી એરલાઈન્સ એરો મેક્સિકોથી 5 ગણી છે. આ તમામ વિમાન કાર્ટેલે અમેરિકામાંથી ખરીદ્યા છે.

મેક્સિકો ગૃહમંત્રાલયના 2022ના રિપોર્ટ અનુસાર કાર્ટેલ પાસે એકે-47 અને એમ-80 જેવી એસોલ્ટ રાઈફલોનો જથ્થો છે. દર વર્ષે સુરક્ષા એજન્સીઓ દ્વારા ડ્રગ કાર્ટેલના કબજામાંથી 20 હજારથી વધુ એસોલ્ટ રાઈફલો પકડવામાં આવે છે. મેક્સિકો સરકાર કાર્ટેલ પાસેથી પકડેલા હથિયારોનો નાશ કરે છે. તેનો ઉપયોગ કરાતો નથી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow