કામના સ્થળે અનેક લોકો એકલતાનો શિકાર બને છે

કામના સ્થળે અનેક લોકો એકલતાનો શિકાર બને છે

જે નોકરીઓમાં કર્મચારીઓ વચ્ચે ઓછી વાતચીત હોય છે તે નોકરી સૌથી પીડાદાયક હોય છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં 85 વર્ષથી ચાલી રહેલા સંશોધનમાં આ વાત સ્પષ્ટ થઈ છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના સાઈકોલોજીના પ્રોફેસર અને હાર્વર્ડ સ્ટડી ઓફ એડલ્ટ ડેવલપમેન્ટના ડાયરેક્ટર રોબર્ટ વાલ્ડિંગરે જણાવ્યું છે કે ખુશી અને કાર્યસ્થળ પર આટલો લાંબો અભ્યાસ પહેલીવાર થયો છે.

1938થી હાર્વર્ડ યુનિવર્સિટીએ સમગ્ર વિશ્વમાંથી 700 લોકોના આરોગ્ય રેકોર્ડ લેવાનું શરૂ કર્યું. દર બે વર્ષે તેમને તેમના જીવન વિશે વિગતવાર પૂછપરછ કરવામાં આવી હતી. જે નોકરીઓમાં કર્મચારીઓને એકાંતમાં કામ કરવું પડે છે ત્યાં એકલતા વધારે જોવા મળે છે. ડિલિવરી પાર્ટનર, ટ્રક ડ્રાઇવરો, નાઇટ શિફ્ટ કામદારો, પ્રવાસી કામદારો જેવા કામમાં રોકાયેલા લોકો વધારે નાખુશ રહે છે. વાલ્ડિંગર આ વિશે કહે છે કે આવી વસ્તુઓ વાતાવરણમાં નકારાત્મક ભરી દે છે.

વેરહાઉસ વગેરેમાં કામ કરતા કર્મચારીઓને બીજી પાળીમાં કામ કરતા લોકોના નામ પણ ખબર હોતાં નથી. આ અભ્યાસ પર વાત કરતા રોબર્ટ વાલ્ડિંગરે કહ્યું છે કે તે અમારી નોકરીઓ પર પણ લાગુ પડે છે. જો તમે લોકો સાથે વધુ જોડાયેલા છો તો તમે તમારી નોકરીથી વધુ સંતુષ્ટ અનુભવો છો અને વધુ સારી રીતે નોકરી કરો છો. સુખી, સ્વસ્થ અને લાંબુ જીવન જીવવા માટે પૈસા, નોકરીની સફળતા કે કસરત કરતાં હકારાત્મક સંબંધો વધુ મહત્વપૂર્ણ છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow