રાજકોટમાં લગ્ન, જન્મ-મરણ અને આધારકાર્ડ નોંધણી માટે નવી વ્યવસ્થા કરશે મનપા

રાજકોટમાં લગ્ન, જન્મ-મરણ અને આધારકાર્ડ નોંધણી માટે નવી વ્યવસ્થા કરશે મનપા

રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીએ સિવિક સેન્ટરમાં મિલકત વેરાની કામગીરી તેમજ જન્મ-મરણ નોંધણી, આધારકાર્ડ સુધારા વધારા અને લગ્ન નોંધણી સહિત માટે અલગ અલગ વ્યવસ્થા છે પણ તમામ કચેરીઓમાં સ્થળ હવે ટૂંકા પડી રહ્યા છે તેથી નવી વ્યવસ્થા કરવા માટે નિર્ણય લેવાયો છે.

મેયર ડો.પ્રદીપ ડવે મનપાના ઈજનેરો સહિતનાઓ સાથે સિવિક સેન્ટર, આધારકાર્ડ કેન્દ્ર અને જન્મ-મરણ વિભાગની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી. બાદમાં નિર્ણય લેવાયો છે કે, આધારકાર્ડ કેન્દ્રમાં રિનોવેશન કરીને ત્યાં જગ્યા વધારવાની જરૂર છે આ ઉપરાંત જન્મ-મરણ વિભાગમાં અરજદારોની સંખ્યા ખૂબ રહેતી હોવાથી હવે ત્યાં જગ્યા ટૂંકી પડે છે તેથી ત્યાં વધુ જગ્યા આપવામાં આવશે. જ્યારે લગ્ન નોંધણી માટે હાલ સેન્ટ્રલ ઝોન કચેરીમાં ત્રીજા માળે આરોગ્ય વિભાગમાં અરજદારોને જવું પડે છે. આ વ્યવસ્થામાં પણ ફેરફાર કરીને જન્મ-મરણ વિભાગની જેમ જ ગ્રાઉન્ડ ફ્લોર પર તેની વ્યવસ્થા કરવામાં આવશે. સૌથી પહેલા આધારકાર્ડ કેન્દ્રના રિનોવેશનની કામગીરી થશે તે માટે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પડાશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow