અમિત શાહ સામે લડી પડ્યાં મમતા બેનરજી અને BSF અધિકારીઓ, બોર્ડર મીટિંગમાં આવું બન્યું

અમિત શાહ સામે લડી પડ્યાં મમતા બેનરજી અને BSF અધિકારીઓ, બોર્ડર મીટિંગમાં આવું બન્યું

કોલકાતામાં સરહદીય વિવાદના મુદ્દે ગૃહમંત્રી અમિત શાહની એક હાઈ લેવલ બેઠક મળી હતી જેમાં મુખ્યમંત્રી મમતા બેનરજી સહિત પાંચ રાજ્યોના સીએમ અથવા તેમના પ્રતિનિધિ અને બીએસએફના ટોચના અધિકારીઓએ હાજરી આપી હતી પરંતુ આ દરમિયાન ચાલુ મીટિંગમાં મમતા બેનરજી અને બીએસએફના અધિકારીઓ વચ્ચે વિવાદ થયો હતો.

શું બન્યું બેઠકમાં ‌‌

બેઠકમાં મુખ્યમંત્રી બેનર્જીએ સીમા સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે બીએસએફ તરફથી કોઈ સહકાર મળ્યો નથી. જે બાદ સીએમ મમતા અને બીએસએફના અધિકારીઓ વચ્ચે વિવાદ થયો હતો. મુખ્યમંત્રી મમતાએ BSFના વ્યાપને 15 કિમીથી વધારીને 30 કરવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. બેઠકમાં મમતાએ ગૃહમંત્રીની સામે બીએસએફ પર હિંસાનો પણ આરોપ લગાવ્યો હતો તો સામે બીએસએફના અધિકારીઓએ રાજ્ય સરકાર પર સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પૂર્વ ક્ષેત્રમાં બંગાળ એકમાત્ર એવું રાજ્ય છે જે બાંગ્લાદેશ સાથે તેની સરહદ ધરાવે છે. બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળમાં મોટા પાયે ઘૂસણખોરી થઈ રહી છે. કેન્દ્ર સરકાર તરફથી થતી ઘુસણખોરીને રોકવા માટે બીએસએફના વિસ્તારનો વ્યાપ 15 કિમીથી વધારીને 50 કિમી કરવામાં આવ્યો છે આનાથી બીએસએફને વધારે સત્તા મળી છે.

અમિત શાહ શુક્રવારે કોલકાતા પહોંચ્યા ‌‌

આ બેઠકમાં સુરક્ષા, આંતર-રાજ્ય વેપાર, ભારત-બાંગ્લાદેશ સરહદ પર દાણચોરી અને 'કનેક્ટિવિટી' જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ભાગ લેવા માટે અમિત શાહ શુક્રવારે  સાંજે કોલકાતા પહોંચ્યા હતા.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow