ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમમાં મોટા ફેરફાર

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમમાં મોટા ફેરફાર

15 વર્ષ પછી ટીમ ઈન્ડિયા પાસે T20 વર્લ્ડ કપ જીતવાની તક હતી. હવે ભારતીય ટીમ 18 નવેમ્બરે વેલિંગટનમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ T20 મેચની સિરીઝ રમવા જઈ રહી છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આ સિરીઝમાં ટીમ ઈન્ડિયા સંપૂર્ણ રીતે બદલાઈ ચૂકી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ આ સિરીઝ નહીં રમે. રોહિતની જગ્યાએ હાર્દિક પંડ્યા કેપ્ટન હશે.

રોહિત શર્મા અને કેએલ રાહુલ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આ T20 સિરીઝમાં નથી રમી રહ્યા. આવી પરિસ્થિતિમાં યુવા ખેલાડી ઈશાન કિશન ટીમમાં ઓપનિંગ કરી શકે છે. ઈશાન એક વિસ્ફોટક પ્લેયર છે. તેનો સ્ટ્રાઈક રેટ 131.15નો છે. ઈશાનનો સાથ દીપક હુડ્ડા આપી શકે છે. વર્લ્ડ કપની ટીમમાં દીપકને જગ્યા મળી હતી, પરંતુ તેને ખૂબ ઓછી તક મળી.

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ t20 સિરીઝમાં નંબર 3 પર સ્ટાર પ્લેયર શ્રેયલ અય્યર બેટિંગ કરવા ઉતરી શકે છે. શ્રેયસ હાલ સારા ફોર્મમાં ચાલી રહ્યા છે. નંબર 4 પર સૂર્યકુમાર યાદવને તક મળી શકે છે. નંબર 5 પર કેપ્ટન હાર્દિક પંડ્યા ઉતરી શકે છે. બોલિંગમાં પણ આ ખેલાડી યોગદાન આપી શકે છે.

ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટર રિષભ પંત હોઈ શકે છે. તેને નંબર 6 પર તક મળી શકે છે. તે મેત ફિનિશરની પણ ભૂમિકા ભજવી શકે છે. વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ દિનેશ કાર્તિક પર ભરોષો કર્યો હતો. પરંતુ ખરાબ પ્રદર્શનને કારણે તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow