આટકોટમાં ભૂમાફિયાઓ ફરી સક્રિય, બેફામ ચોરી છતાં તંત્ર ચુપ

આટકોટમાં ભૂમાફિયાઓ ફરી સક્રિય, બેફામ ચોરી છતાં તંત્ર ચુપ

આટકોટમાં ભુ માફિયાઓ ફરી સક્રિય થયા છે અને એક જગ્યાએ જ્યાં ખનીજ ચોરી પર રોક લાગે ત્યાં બીજી જગ્યાએ બેફામ ખનીજ ખનન ચાલુ થઇ જાય છે અને દિવસ રાત ભારે વાહનોની અવરજવરનો ધમધમાટ શરૂ થઇ જવા છતાં કોઇ પગલાં ન લેવાતાં ખાણ ખનીજ ખાતાની કાર્યવાહી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે.

આટકોટમાં કૈલાસનગર વિસ્તારમાં બેલાણમાં ખનીજ ચોરી બંધ થઈ ત્યાં ફરી એકવાર ભાદર નદીમાં ટાસ ની ચોરી બેફામ ચાલુ છે. છતાંય તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. સરકાર દ્વારા ખનીજ ચોરી પર રોક લગાવાઇ છે, પણ અહીં તો દિવસે અને રાત્રે બે ફામ ખનીજ ચોરી ચાલુ છે.

વહીવટી તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. ખનીજ શાખામાંથી પણ કોઈ અધિકારી ડોકાતા નથી. ભાદર નદીમાં તેમજ બુઢણપરી નદી પર હવે ખનીજ ચોરી ચાલુ છે, દિવસે તો ઠીક રાત્રે પણ વાહનોનો ધમધમાટ ચાલુ રહે છે. આટકોટ ગ્રામ પંચાયતમાં વહીવટદારનું શાસન છે. અગાઉ પણ અહીં ખનીજ ચોરી અટકાવવામાં આવી હતી પણ હવે ફરી બે દિવસથી ધમધમાટ શરૂ થયો છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા શું પગલાં ભરવામાં આવે છે, મામલતદાર પગલાં ભરશે કે ટીડીઓ પગલાં લેશે? એ જોવાનું રહ્યું. ભેલાણમાં ચાલતી ઘણી ખનીજ ચોરી પછી બંધ થઇ, ત્યાં હવે ખનીજ ચોરોએ નવી જગ્યાએ ખનીજ ચોરી ચાલુ કરી છે. જેસીબી મશીન ટ્રેક્ટર સાથે બે દિવસથી આંટાફેરા ચાલુ છે. ભાદર નદીમાં ખોદકામ ચાલુ છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow