અમેરિકા સહિત અમીર દેશોના નેતાઓ આર્થિક વિકાસની અવગણના કરી રહ્યાં છે

અમેરિકા સહિત અમીર દેશોના નેતાઓ આર્થિક વિકાસની અવગણના કરી રહ્યાં છે

અમેરિકાથી લઇને બ્રિટન, ચીનથી લઇને રશિયા, એશિયા સુધી આર્થિક રીતે સંપન્ન દેશો હવે પીછેહઠ કરી રહ્યા છે. લોકો પરેશાન છે તેમજ દેશની આર્થિક પ્રગતિ થંભી ગઇ છે અથવા તો વિકાસદર ઘટી રહ્યો છે. કારણ છે રાજનેતા. આર્થિક વિકાસનો વાયદો કરીને રાજકારણમાં પ્રવેશનારા આ રાજનેતાઓ હવે આ જ મુદ્દાને નજરઅંદાજ કરી રહ્યા છે.

વ્લાદિમીર પુટિને રશિયાને યુદ્વમાં ધકેલ્યું તો USમાં જો બાઇડેન પણ આર્થિક મંદીની વાત કરે છે. ચીનમાં શી જિનપિંગનું રાષ્ટ્રના નામ પર અનુશાસન એ હદે નિરંકુશ છે કે લોકો દેખાવો કરી રહ્યા છે. શી જિનપિંગની નીતિનો વિરોધ કરનારા પર દમન થઇ રહ્યું છે. બ્રિટનના પૂર્વ વડાપ્રધાન લિઝ ટ્રસ આ પેટર્નમાં ફિટ બેસે છે. આર્થિક વિકાસના મુદ્દે તેઓ વડાપ્રધાન બન્યાં પરંતુ મોંઘવારીને અંકુશમાં રાખવામાં નિષ્ફળ નિવડ્યાં.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે 4%ના વિકાસદરનો વાયદો કર્યો પરંતુ વૈશ્વિક વેપારની સિસ્ટમને નબળી બનાવીને વિકાસમાં અડચણ ઊભી કરી. અમેરિકાની સરકારે ગત વર્ષે 12,000 નવા નિયમ રજૂ કર્યા હતા. આજના નેતા દાયકામાં સૌથી વધુ સ્ટેટિસ્ટ છે. સમસ્યા એ છે કે રાજનેતાઓ અત્યારે ટૂ-ડુ યાદીઓને સતત નજરઅંદાજ કરે છે. તેમનો ચૂંટણીઢંઢેરો પહેલાંની તુલનામાં વિકાસ પર ઓછું ધ્યાન કેન્દ્રિત કરે છે અને સુધારા માટે પણ તૈયાર નથી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow