ટેક્સના નિયમોના પાલનમાં મોટી કંપનીઓનો 70% સમય ખર્ચ

ટેક્સના નિયમોના પાલનમાં મોટી કંપનીઓનો 70% સમય ખર્ચ

મોટી કંપનીઓની ટેક્સ ટીમને સરેરાશ 70 ટકા સમય કર નિયમોના અનુપાલનમાં વિતાવવો પડે છે. વિભિન્ન સરકારી એજન્સીઓ તરફથી એકત્ર કરાયેલા આંકડાઓનો ઉપયોગ કરીને આ સમયને ઘટાડી શકાય છે. ડેલોઇટના એક સરવેમાં આ સૂચન કરવામાં આવ્યું છે. સલાહકાર કંપની ડેલૉયટ દ્વારા જારી કરાયેલા એક સરવે અનુસાર કંપનીઓએ ટીડીએસની જોગવાઇના અનુપાલનમાં અનેક પડકારોનો સામનો કરવો પડે છે.

ટેક્સ નિયમો અંતર્ગત માહિતી આપવાની જોગવાઇને વધુ સરળ બનાવીને પ્રક્રિયાને વધુ ઝડપી અને કારગર બનાવી શકાય છે. ભારતમાં ટેક્સ ડિજિટલાઇઝેશનને લઇને જારી કરાયેલા આ સરવે અનુસાર કર અનુપાલનમાં ટેક્સ ટીમને લાગતો વધુ સમય એ ચિંતાનો વિષય છે અને વહીવટી વિભાગ અને કરદાતાઓ વચ્ચે ચર્ચા કરીને તેનું નિરાકરણ થાય તે આવશ્યક છે. મોટી કંપનીઓમાં ટેક્સ વિભાગમાં મોટી ટીમ હોવા છતાં 70 ટકા સમય કર અનુપાલન પર જ લગાવવો પડે છે.

આજે કોર્પોરેટ કરદાતા કર અનુપાલનમાં જેટલો સમય વિતાવે છે, તેને જોતા અનુપાલન પ્રક્રિયાનું આધુનિકીકરણ થાય તે સમયની માંગ છે. બે તૃતીયાંશ સહભાગીઓ અને 6,400 કરોડ રૂપિયાથી વધુ કારોબાર ધરાવતી કંપનીઓના 84 ટકા લોકોએ કહ્યું કે જીએસટી , ફેમા અંતર્ગત જાણકારીનો ઉપયોગ કરીને આવકવેરાના અનુપાલનની કેટલીક શરતોને વધુ સરળ બનાવી શકાય છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow