કોલંબિયામાં ભૂસ્ખલન, 8 બાળકો સહિત 34નાં મોત

કોલંબિયામાં ભૂસ્ખલન, 8 બાળકો સહિત 34નાં મોત

દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાં સોમવારે એક મોટી દુર્ઘટના થઈ. અહીં રિસારાલ્ડા પ્રાંતમાં એક બસ ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગઈ હતી. આ દુર્ઘટનામાં 34 લોકોના મોત થયા હતા. નેશનલ યુનિટ ફોર ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ (UNGRD)ના જણાવ્યા અનુસાર મૃતકોમાં આઠ બાળકોનો સમાવેશ થાય છે. હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

એક અધિકારીએ જણાવ્યું કે ભારે વરસાદ બાદ રિસારાલ્ડા પ્રાંતમાં ભૂસ્ખલન થયું હતુ. બસની સાથે અન્ય કેટલાક વાહનો પણ કાટમાળમાં દટાઈ ગયા હતા. બસ કૈલી શહેરથી ચોકો પ્રાંતના કોન્ડોટો શહેર જઈ રહી હતી. ત્યારબાદ પ્યુબ્લો રિકો અને સાન્ટા સેસિલિયા વચ્ચે આ દુર્ઘટના થઈ હતી.

પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું - કાટમાળ એટલી ઝડપથી નીચે આવ્યો કે કોઈ બચી શક્યું નહીં
દુર્ઘટના દરમિયાન સ્થળ પર હાજર એક વ્યક્તિએ નજરે જોયુ તે જણાવ્યું હતું. તેણે કહ્યું- પહેલા એક કાર અકસ્માતનો ભોગ બની હતી. જેના કારણે રસ્તો બંધ થઈ ગયો હતો. પાછળ આવતા વાહનો થંભી ગયા. અકસ્માત બાદ અહીં એક જીપ, બસ અને મોટર સાયકલ ઉભી હતી તે દરમિયાન એકાએક ભૂસ્ખલન થયું. કાટમાળ એટલી ઝડપથી નીચે આવ્યો કે કોઈ બચી શક્યું નહીં. બસમાં 2 ડ્રાઈવર હતા. જેમાં ઘણા મુસાફરો પણ સવાર હતા.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow