સિવિલ હોસ્પિટલમાં સાઇન બોર્ડનો અભાવ

સિવિલ હોસ્પિટલમાં સાઇન બોર્ડનો અભાવ

સૌરાષ્ટ્રના મેડિકલ હબ ગણાતા રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં રાજકોટ શહેર-જિલ્લા ઉપરાંત 11 જિલ્લામાંથી દર્દીઓ સારવાર માટે આવે છે અને 20 એકર વિસ્તારમાં પથરાયેલી સિવિલ હોસ્પિટલમાં દરરોજના એવરેજ 4000થી વધુ દર્દીઓ સારવારમાં આવે છે. આ સિવિલ હોસ્પિટલમાં 30 જેટલા અલગ-અલગ વિભાગો આવેલા છે ત્યારે ક્યો વિભાગ ક્યા બિલ્ડિંગમાં આવેલો છે તેના ચોક્કસ સાઇન બોર્ડના અભાવે સારવાર માટે રાજકોટ અને બહારગામથી આવતા દર્દીઓને ઠેર-ઠેર ભટકવું પડતું હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે.

સામાન્ય રીતે કોઇપણ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જાવ તો ત્યાં પણ લેબોરેટરી ક્યા છે, સ્પેશિયલ રૂમ ક્યા છે, જનરલ રૂમ કયા છે, ઓપીડી ક્યા છે, ઇમર્જન્સી વિભાગ ક્યા છે, મેડિકલ સ્ટોર ક્યા છે, એક્સ-રે વિભાગ ક્યા છે સહિતના બોર્ડ મારેલા હોય છે ત્યારે 20 એકરમાં પથરાયેલી રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં આંખનો વિભાગ, કાન-નાક-ગળાનો વિભાગ, ટ્રોમા સેન્ટર, જનરલ સર્જન, એક્સ-રે વિભાગ, બાળકોનો વિભાગ, જનાના વિભાગ સહિત અલગ-અલગ 30 જેટલા વિભાગો આવેલા છે, પરંતુ ક્યો વિભાગ ક્યા આવેલો છે તે બહારથી આવેલા દર્દીઓ માટે શોધવું તે એક પડકારથી ઓછું સાબિત થતું નથી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow