રાજકોટ યુનિ.ની હોસ્ટેલમાં સફાઈ, પાણી, સિક્યુરિટીનો અભાવ, વિદ્યાર્થીઓએ અડધી રાત્રે કુલપતિ બંગલે સૂત્રોચ્ચાર કર્યા

રાજકોટ યુનિ.ની હોસ્ટેલમાં સફાઈ, પાણી, સિક્યુરિટીનો અભાવ, વિદ્યાર્થીઓએ અડધી રાત્રે કુલપતિ બંગલે સૂત્રોચ્ચાર કર્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હોસ્ટેલમાં વારંવાર જુદા જુદા પ્રશ્નો મુદ્દે વિદ્યાર્થીઓએ રજૂઆતો અને સૂત્રોચ્ચાર કરવા પડે છે છતાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી રહી નથી ત્યારે શનિવારે મોડી રાત્રે યુનિવર્સિટીની ગિરનાર સહિતની હોસ્ટેલોમાં સફાઈ, ગરમ પાણી, પીવાનું પાણી, સિક્યુરિટી સહિતની જુદી જુદી 16 જેટલી સમસ્યાઓ અંગે શનિવારે રાત્રે હોસ્ટેલના વિદ્યાર્થીઓએ કેમ્પસમાં જ કુલપતિ બંગલા પાસે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.

અખિલ ગુજરાત વિદ્યાર્થી પરિષદ અને હોસ્ટેલના વિદ્યાર્થીઓએ એકઠા થઇને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોડી રાત્રે કરાયેલા સૂત્રોચ્ચાર બાદ યુનિવર્સિટી તંત્રના અધિકારીઓ દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓની 17 જેટલી સમસ્યાનું નિરાકરણ 17મી સુધીમાં લાવવા લેખિતમાં ખાતરી આપી હતી. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, બોયઝ હોસ્ટેલમાં છેલ્લા ઘણાં સમયથી યોગ્ય પ્રમાણમાં સફાઈ થતી નથી, બિલ્ડિંગની બિસમાર હાલત, લાઈટ- પાણીની સવલત ઉપલબ્ધ નથી.

પરીક્ષા ટાણે જ અસુવિધાથી વિદ્યાર્થીઓને તૈયારીમાં વિક્ષેપ
13 ડિસેમ્બરને મંગળવારથી યુનિવર્સિટીની જુદા જુદા કોર્સની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે ત્યારે પરીક્ષા સમયે જ હોસ્ટેલમાં જુદી જુદી સમસ્યાઓ ઉદભવતા વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીઓ કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, પાણીના અભાવે શિયાળામાં ઠંડા પાણીએ નહાવું પડે અને પરીક્ષામાં જ બીમાર પડીએ તો કોણ જવાબદારી લેશે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow