લાલો' ફિલ્મના કલાકારો પહોંચતા જ રાજકોટના ક્રિસ્ટલ મોલમાં અફરાતફરી

લાલો' ફિલ્મના કલાકારો પહોંચતા જ રાજકોટના ક્રિસ્ટલ મોલમાં અફરાતફરી

ગુજરાતી ફિલ્મ 'લાલો કૃષ્ણ સદા સહાયતે'ના કલાકારો આજે (2 ડિસેમ્બર 2025) સાંજે રાજકોટ આવી પહોંચ્યા હતા. શહેરના ક્રિસ્ટલ મોલ ખાતે ફિલ્મના પ્રમોશન સમયે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઓવર ક્રાઉડના કારણે અનેક બાળકો ફસાયા હતા. આ દરમિયાન એક બાળકીનો જીવ માંડ માંડ બચ્યો હતો. મોલની ઇલેક્ટ્રિક સીડી (એસ્કેલેટર)ના પગથિયે બાળકી પટકાઈ હતી. બે વ્યક્તિએ દેબદૂત બની બાળકીનો જીવ બચાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે. આયોજકો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહેતા મોલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, વધુ કોઇ અઘટિત ઘટના ન બને તે ધ્યાને લઈ કલાકારોએ ચાલતી પકડી હતી.

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં 'લાલો કૃષ્ણ સદા સહાયતે' ફિલ્મમાં કૃષ્ણનું પાત્ર ભજવનાર શ્રૃહાદ ગોસ્વામી સહિતની સ્ટારકાસ્ટ ફિલ્મના પ્રમોશન માટે પહોંચી હતી. જોકે, આ દરમિયાન કલાકારો સાથે સેલ્ફી લેવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. જેના કારણે ક્રિસ્ટલ મોલમાં વિવિધ માળ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. મોલમાં ઓવર ક્રાઉડના કારમે અનેક બાળકો ભીડમાં ફસાયા હતા અને ધક્કામુકીમાં નીચે પટકાયા હતા. આ ગંભીર ઘટનામાં એક બાળકીનો જીવ માંડ માંડ બચ્યો હતો. જેના વીડિયો પણ સામે આવ્યા છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow