કોલ ઈન્ડિયા અને IOCLમાં રોકાણ કરવાથી તમારી દિવાળી બનશે હેપ્પી

કોલ ઈન્ડિયા અને IOCLમાં રોકાણ કરવાથી તમારી દિવાળી બનશે હેપ્પી

આ દિવસોમાં શેરબજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં રોકાણકારો સમજી શકતા નથી કે શેમાં રોકાણ કરવું કે ન કરવું. જોકે એક્સપર્ટ માને છે કે આવા સમયમાં કેટલાક સારા શેરોમાં પૈસાનું રોકાણ કરવાથી સારો નફો મળી શકે છે. અનુજ ગુપ્તા તમને 10 શેર વિશે જણાવે છે, જેમાં તમે આ દિવાળીમાં રોકાણ કરી મોટો નફો કમાઈ શકો છો.

સારા શેરોમાં રોકાણ કરીને કમાઈ શકો છો

આવા સમયે યોગ્ય શેરમાં રોકાણ કરીને તમે સારો નફો કમાઈ શકો છો. તેમના મતે આ સમયે બેન્કિંગ અને એનર્જી સેક્ટરના શેરમાં નાણાંનું રોકાણ કરવું યોગ્ય રહેશે.

જ્યારે તમે વિવિધ એસેટ્સમાં રોકાણ કરો છો ત્યારે તમે નિયમિતપણે તમામ રોકાણોને ટ્રેક કરી શકતા નથી. એવામાં બજારનાં બદલાતાં વલણો પર યોગ્ય પ્રતિસાદ આપવો મુશ્કેલ બનશે, તેથી જો તમે તમારા રોકાણને ટ્રેક કરી શકતા નથી તો વિશ્વાસપાત્ર નાણાકીય સલાહકારની મદદ લો.

ખોટમાં શેર ન વેચો

વધઘટ એ શેરબજારનો સ્વભાવ છે. શેરબજારમાં ઘટાડાને લઈને રોકાણકારોએ ગભરાવું જોઈએ નહીં. જો તમે શેરબજારમાં પૈસાનું રોકાણ કર્યું છે અને એમાં તમને નુકસાન થયું હોય તોપણ તમારે તમારા શેરને ખોટમાં વેચવાનું ટાળવું જોઈએ, કારણ કે લોન્ગ ટર્મમાં રિકવર થવાની અપેક્ષા હોય છે. આવી સ્થિતિમાં જો તમે તમારા શેરને લાંબા સમય સુધી હોલ્ડ કરો છો, તો તમારા નુકસાનની શક્યતા ઓછી થઈ જશે.

સ્ટોક બાસ્કેટ યોગ્ય રહેશે

હાલમાં સ્ટોક બાસ્કેટનો કોન્સેપ્ટ ચાલી રહ્યો છે. એ અતંર્ગત તમે શેરનો એક બાસ્કેટ બનાવી શકો છો અને તમામ શેરમાં રોકાણ કરી શકો છો, એટલે કે તમે આ 5 શેરમાં કુલ 25 હજારનું રોકાણ કરવા ઈચ્છતા હોય તો બધામાં 5-5 હજાર રૂપિયાનું રોકાણ કરી શકો છો. આ કોન્સેપટ જોખમ ઘટાડે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow