કોહલીએ ઈશાનની બેવડી સદી પર ડાન્સ કર્યો

કોહલીએ ઈશાનની બેવડી સદી પર ડાન્સ કર્યો

ઇશાન કિશન અને વિરાટ કોહલીની મેરેથોન ભાગીદારીના કારણે ભારતે બાંગ્લાદેશને ત્રીજી વન-ડેમાં હરાવ્યું. આ જીત સાથે ભારતે બાંગ્લાદેશને 3 વન-ડેની શ્રેણીમાં ક્લીન સ્વીપ કરતા અટકાવ્યું. બાંગ્લાદેશે પ્રથમ 2 વન-ડે જીત્યા બાદ શ્રેણી 2-1થી જીતી.

ત્રીજી મેચમાં ઈશાન કિશનની બેવડી સદી, વિરાટ કોહલીનું સેલિબ્રેશન, લિટન દાસનો કેચ ડ્રોપ જેવી ઘણી ફની મોમેન્ટ્સ જોવા મળી હતી.

ઈશાન કિશન 35મી ઓવરના બીજા બોલ પર 197 રન પર બેટિંગ કરી રહ્યો હતો. મુસ્તફિઝુરના બોલ પર ઈશાને કવર ડ્રાઈવ ફટકારી અને વિરાટે દોડતા-દોડતા જશ્ન મનાવવાનું શરૂ કર્યું. તેમને લાગ્યું કે બોલ ચોગ્ગા માટે જશે અને કિશનની બેવડી સદી પૂરી થશે. પરંતુ, ફિલ્ડરે બાઉન્ડ્રી પહેલા બોલને રોકી દીધો હતો. ઈશાન બીજો રન લેવા દોડ્યો, પરંતુ વિરાટે તેને ના પાડી.

ઈશાને 35મી ઓવરમાં મુસ્તાફિઝુરના છેલ્લા બોલ પર સિંગલ લઈને તેની બેવડી સદી પૂરી કરી હતી. સિંગલ પૂર્ણ કર્યા બાદ કિશને મેદાનમાં દોડીને પોતાની બેવડી સદીની ઉજવણી કરી હતી. બીજા છેડે તેની સાથે રહેલા વિરાટે ડાન્સ કરીને આ પળની ઉજવણી કરી.

કોહલી અને કિશને મેચમાં 190 બોલમાં 290 રનની ભાગીદારી નોંધાવી હતી. કિશને 199 અને વિરાટે 85 રન જોડ્યા હતા.

વન-ડેમાં વિરાટ કોહલીએ 1214 દિવસ બાદ સદી ફટકરી. જો બાંગ્લાદેશના કેપ્ટન લિટન દાસે 7મી ઓવરમાં તેનો કેચ પકડ્યો હોત તો તેની સદીની રાહ વધુ લાંબી થઈ હોત. વિરાટે મેહદી હસન મિરાજની ઓવરમાં ત્રીજા બોલ પર ફૂલર લેન્થ બોલને ફ્લિક કર્યો હતો.

બોલ શોર્ટ મિડ-વિકેટ પર ઉભેલા લિટનના હાથમાં ગયો. પરંતુ, તેણે એક આસાન કેચ છોડ્યો. વિરાટ ત્યારે 7 બોલમાં એક રન પર રમી રહ્યો હતો. કોહલીએ વધુ 113 રન બનાવ્યા. લિટને શ્રેણીની પ્રથમ વન-ડેમાં ડાઇવ કરીને વિરાટનો કેચ પકડ્યો હતો.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow