ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ ખોલાવવા પર બેંક મફતમાં આપે છે આવી સુવિધાઓ, જાણો

ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ ખોલાવવા પર બેંક મફતમાં આપે છે આવી સુવિધાઓ, જાણો

દેશની દરેક બેંક ઘણા પ્રકારના ખાતા ખોલવાની સુવિધા આપે છે. જેમાંથી સૌથી વધુ સેવિંગ અને કરંટ એકાઉન્ટ ખોલવામાં આવે છે. એવામાં વધુ પડતાં લોકો સેવિંગ એકાઉન્ટ ખોલાવવાનું પસંદ કરે છે.

જણાવી દઈએ કે સેવિંગ એકાઉન્ટમાં લોકોને પૈસા જમા કરવાની સાથે સાથે પૈસા બચાવવા અને સમય જતાં તેમની સંપત્તિ વધારવા મદદ કરે છે. આ સાથે જ સેવિંગ એકાઉન્ટ ધારકોને અન્ય વ્યવહારો કરવામાં અને બેંકિંગ સેવાઓનો લાભ મેળવવામાં મદદ કરે છે. સેવિંગ એકાઉન્ટનો ઉપયોગ મોટાભાગે નોકરિયાત લોકો કરતાં હોય છે.

સામાન્ય રીતે મોટાભાગના લોકો ઝીરો બેલેન્સ સાથે બચત ખાતું ખોલાવે છે અને ઝીરો બેલેન્સ સેવિંગ્સ એકાઉન્ટ ખોલવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં તમારે કોઈ ન્યૂનતમ બેલેન્સ જાળવવાની જરૂર નથી રહેતી. જણાવી દઈએ કે એક પણ રૂપિયો ઉમેર્યા વિના ઝીરો બેલેન્સ સેવિંગ્સ એકાઉન્ટ  ચાલુ રાખી શકાય છે.  

આ બધુ તો આપણે બધા જાણીએ છીએ પણ શું તમે એ જાણો છો કે બેંક તરફથી ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ પર બીજા ઘણા ફાયદા પણ આપવામાં આવે છે, આજે અમે તમને એ જ મહત્વપૂર્ણ સુવિધાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ પર મળે છે.

જો તમારી પાસે ઝીરો બેલેન્સ સેવિંગ્સ એકાઉન્ટ છે તો આમાં સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં તમારે કોઈપણ પ્રકારનું મિનિમમ બેલેન્સ જાળવવાની જરૂર નથી.

આ સિવાય ઝીરો બેલેન્સ સેવિંગ્સ એકાઉન્ટમાં બેંક ગ્રાહકોને નેટ બેંકિંગની સુવિધા પણ આપે છે. જણાવી દઈએ કે નેટ બેન્કિંગની મદદથી ટ્રાન્ઝેક્શન પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવવામાં આવી છે.

‌                                                      

આ સાથે જ ઝીરો બેલેન્સ સેવિંગ્સ એકાઉન્ટમાં બેંક ગ્રાહકોને ડેબિટ કાર્ડ, પાસબુક, મોબાઈલ બેંકિંગ, ઈ-પાસબુક વગેરે જેવી સુવિધાઓ બિલકુલ મફતમાં  આપે છે. આવી સ્થિતિમાં બેંકમાંથી ઉપલબ્ધ આ સુવિધાઓ વિશે જાણવું જરૂરી છે.

આ સાથે જ જો તમારી પાસે ઝીરો બેબેલેન્સલેન્સ સેવિંગ્સ એકાઉન્ટ છે તો તમે તેમાં વધુમાં વધુ 1 લાખ રૂપિયા જમા કરાવી શકો છો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow