કિંગ ખાને માતા વૈષ્ણોદેવીના દરબારમાં શીશ ઝૂકાવ્યું, બાજુમાંથી પસાર થઇ ગયો છતાં લોકો ઓળખી ન શક્યા

કિંગ ખાને માતા વૈષ્ણોદેવીના દરબારમાં શીશ ઝૂકાવ્યું, બાજુમાંથી પસાર થઇ ગયો છતાં લોકો ઓળખી ન શક્યા

મક્કામાં ઉમરાહ કર્યા બાદ શાહરૂખે માં વૈષ્ણો દેવીના કર્યા દર્શન

શાહરૂખ ખાન ખરેખર બૉલીવુડના કિંગ છે. કામની સાથે શાહરૂખ ઈશ્વરને યાદ કરવાનુ ક્યારેય ભૂલતા નથી. મક્કામાં ઉમરાહ કર્યા બાદ શાહરૂખે હવે માં વૈષ્ણો દેવીના દરબારમાં માથુ ટેકવ્યું. શાહરૂખના આ અંદાજે તેમના પ્રશંસકોનુ દિલ જીતી લીધુ છે.

શાહરૂખે માંના દરબારમાં પૂજા-અર્ચના કરી

ફિલ્મ પઠાન આગામી મહિને જાન્યુઆરીમાં રીલીઝ થઇ રહી છે. એવામાં તેઓ પોતાની ફિલ્મની સક્સેસ માટે પ્રાર્થના કરી રહ્યાં છે. કિંગ ખાન ગઈકાલે મોડી રાત્રે કટરામાં માતા વૈષ્ણો દેવીના મંદિરમાં ગયા હતા. તેમણે માં વૈષ્ણો દેવીના દરબારમાં માથુ ટેકવ્યું અને પ્રાર્થના કરી. જણાવવામાં આવ્યું છે કે શાહરૂખ ખાને પોતાના અન્ય સાથી મિત્રોની સાથે માં વૈષ્ણો દેવીના ચરણોમાં વંદન  કરીને પૂજા-અર્ચના કરી. શાહરૂખે ચહેરા પર માસ્ક પહેર્યુ હતુ, કારણકે લોકો તેમને ઓળખી ના શકે.

શાહરૂખ દરેક ધર્મને એક સમાન જોવે છે

શાહરૂખને ફિલ્મી પડદા પર ઘણા અલગ રૂપમાં જોયા હશે. ક્યારેક રોમાન્સ તો ક્યારેક એક્શન કિંગ બનીને તેમણે પ્રશંસકોના દિલ જીત્યા છે. પરંતુ વાસ્તવિક જીવનમાં શાહરૂખ એક ટ્રુ ફેમિલી મેન હોવાની સાથે ઘણા ધાર્મિક પણ છે. તેઓ દરેક ધર્મને એક દ્રષ્ટિએ જોવે છે. એટલે તો તેમણે મક્કા જઇને ઉમરાહ કર્યા બાદ માં વૈષ્ણો દેવીના દર્શન કર્યા.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow