કિંગ ચાર્લ્સ-III પર ઈંડાં ફેંકાયાં

કિંગ ચાર્લ્સ-III પર ઈંડાં ફેંકાયાં

યોર્કશાયરમાં બ્રિટનના કિંગ ચાર્લ્સ-III પર ઈંડાં ફેંકવામાં આવ્યાં હતાં. પોલીસે આ કૃત્ય કરનાર 23 વર્ષના યુવકની ધરપકડ કરી છે. કિંગ અને ક્વીન કોન્સોર્ટ કેમિલા એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે બે દિવસની મુલાકાતે ઉત્તર ઇંગ્લેન્ડના યોર્કશાયર પહોંચ્યાં હતાં. અહીં વિરોધ કરી રહેલા એક યુવકે તેમના પર ઈંડાં ફેંક્યા હતા.

એક પોલીસ અધિકારીએ કહ્યું - રાજા અને રાણી મિકલગેટ બાર (યોર્કશાયરના પરંપરાગત શાહી પ્રવેશદ્વાર) પર લોકો સાથે વાત કરી રહ્યા હતા. લોકો રાજાને આવકારવા માટે 'ગોડ સેવ ધ કિંગ' ગાતા હતા ત્યારે એક વ્યક્તિએ નારા લગાવતાં તેમના પર ઈંડાં ફેંક્યા હતા. ઇંડાં ફેંકનાર યુવક બૂમો પાડી રહ્યો હતો - આ દેશ ગુલામોના લોહીથી બનેલો છે. અમે તે યુવકની ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ બાદ વ્યક્તિએ કહ્યું- હું ગુલામી, કોલોનિયલિઝ્મ અને સામ્રાજ્યવાદના પીડિતોની સાથે છું. આ ઇંડાં ન્યાયના માપદંડ તરીકે ફેંકવામાં આવ્યાં હતાં. આ ન્યાય તે લોકો માટે છે, જેમણે તે માણસ (કિંગ ચાર્લ્સ)ને રાજા બનાવવા માટે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ એવો ન્યાય છે, જે લોકો જોઈ શકે છે.

ઘટનાસ્થળે હાજર એક મહિલાએ કહ્યું- અમે બધા રાજા અને રાણીની રાહ જોઈ રહ્યા હતા. બધા ખૂબ જ ઉત્સાહિત હતા. જેવા બંને મિકલગેટ બાર પાસે પહોંચ્યા કે તરત જ એક વ્યક્તિએ તેમના પર 5 ઈંડાં ફેંક્યાં. મેં પોલીસને એક માણસના હાથ-પગ બાંધીને લઈ જતા જોયા. જ્યાંથી ઈંડાં ફેંકવામાં આવ્યાં હતાં એ બાજુ કેટલાક લોકો બેનર લઈને ઊભા હતા. બેનર પર લખવામાં આવ્યું હતું - નોટ માય કિંગ એટલે મારો રાજા નથી.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow