કિંગ ચાર્લ્સ-III પર ઈંડાં ફેંકાયાં

કિંગ ચાર્લ્સ-III પર ઈંડાં ફેંકાયાં

યોર્કશાયરમાં બ્રિટનના કિંગ ચાર્લ્સ-III પર ઈંડાં ફેંકવામાં આવ્યાં હતાં. પોલીસે આ કૃત્ય કરનાર 23 વર્ષના યુવકની ધરપકડ કરી છે. કિંગ અને ક્વીન કોન્સોર્ટ કેમિલા એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે બે દિવસની મુલાકાતે ઉત્તર ઇંગ્લેન્ડના યોર્કશાયર પહોંચ્યાં હતાં. અહીં વિરોધ કરી રહેલા એક યુવકે તેમના પર ઈંડાં ફેંક્યા હતા.

એક પોલીસ અધિકારીએ કહ્યું - રાજા અને રાણી મિકલગેટ બાર (યોર્કશાયરના પરંપરાગત શાહી પ્રવેશદ્વાર) પર લોકો સાથે વાત કરી રહ્યા હતા. લોકો રાજાને આવકારવા માટે 'ગોડ સેવ ધ કિંગ' ગાતા હતા ત્યારે એક વ્યક્તિએ નારા લગાવતાં તેમના પર ઈંડાં ફેંક્યા હતા. ઇંડાં ફેંકનાર યુવક બૂમો પાડી રહ્યો હતો - આ દેશ ગુલામોના લોહીથી બનેલો છે. અમે તે યુવકની ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ બાદ વ્યક્તિએ કહ્યું- હું ગુલામી, કોલોનિયલિઝ્મ અને સામ્રાજ્યવાદના પીડિતોની સાથે છું. આ ઇંડાં ન્યાયના માપદંડ તરીકે ફેંકવામાં આવ્યાં હતાં. આ ન્યાય તે લોકો માટે છે, જેમણે તે માણસ (કિંગ ચાર્લ્સ)ને રાજા બનાવવા માટે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ એવો ન્યાય છે, જે લોકો જોઈ શકે છે.

ઘટનાસ્થળે હાજર એક મહિલાએ કહ્યું- અમે બધા રાજા અને રાણીની રાહ જોઈ રહ્યા હતા. બધા ખૂબ જ ઉત્સાહિત હતા. જેવા બંને મિકલગેટ બાર પાસે પહોંચ્યા કે તરત જ એક વ્યક્તિએ તેમના પર 5 ઈંડાં ફેંક્યાં. મેં પોલીસને એક માણસના હાથ-પગ બાંધીને લઈ જતા જોયા. જ્યાંથી ઈંડાં ફેંકવામાં આવ્યાં હતાં એ બાજુ કેટલાક લોકો બેનર લઈને ઊભા હતા. બેનર પર લખવામાં આવ્યું હતું - નોટ માય કિંગ એટલે મારો રાજા નથી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow