ખરિફમાં ડુંગળીનું ઉત્પાદન 13% ઘટી 9.5 મિ. ટન રહેશે

ખરિફમાં ડુંગળીનું ઉત્પાદન 13% ઘટી 9.5 મિ. ટન રહેશે

દેશમાં ખરીફ સિઝન 2022-23 દરમિયાન વાવેતર વિસ્તારમાં ઘટાડો તેમજ નીચી ઉત્પાદકત્તાના કારણે ડુંગળીનું ઉત્પાદન 13 ટકા ઘટીને 9.5 મિલિયન ટન રહેવાની ધારણા છે. ક્રિસિલના રિપોર્ટ અનુસાર ખરીફ સિઝન 2021-22 દરમિયાન, ડુંગળીનું કુલ ઉત્પાદન 10.8 મિલિયન ટન રહ્યું હતું. જો કે રવિ સીઝનની ડુંગળીના પૂરતા જથ્થાને કારણે ખરીફ સિઝન દરમિયાન ઓછા ઉત્પાદનથી કિંમતમાં વધારાને પણ અંકુશમાં રાખી શકાશે.

રવિ સિઝન 2021-22 દરમિયાન કુલ 20 મિલિયન ટન ડુંગળીનું બમ્પર ઉત્પાદન નોંધાયું હતું. જેમાં વાર્ષિક સ્તરે 17 ટકાની વૃદ્વિ જોવા મળી હતી. ક્રિસિલના રિપોર્ટ અનુસાર ભારતમાં દર મહિને 13 લાખ ટન ડુંગળીનો વપરાશ થાય છે. જેને કારણે દેશના દરેક ઘરમાં ડુંગળી એક મહત્વનો ખાદ્યપદાર્થ બન્યો છે.

દેશના અનેક શહેરોમાં ડુંગળીનો જથ્થો મુખ્ય ચાર રાજ્યોમાંથી આવે છે. જેમાં મહારાષ્ટ્રમાંથી 13.3 મિલિયન ટન, મધ્યપ્રદેશમાંથી 4.7 મિલિયન ટન, કર્ણાટકમાંથી 2.7 મિલિયન ટન અને ગુજરાતમાંથી 2.5 મિલિયન ટન ડુંગળીનો જથ્થો આવે છે. દેશના કુલ ઉત્પાદનમાં આ ચાર રાજ્યોનો હિસ્સો 75 ટકા છે. છેલ્લા ત્રણ વર્ષમાં આબોહવામાં સતત બદલાવને કારણે પાકની ઉપજને અસર થઇ હતી તેમજ ચોમાસાને કારણે ખરીફ સિઝનના પાકને પણ નુકસાન થયું હતું જેને કારણે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે અને કિંમતો પણ વધી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow