ખેડૂતો મુદ્દે કોંગ્રેસ હવે જાગી, શનિવારથી મેદાને પડશે

ખેડૂતો મુદ્દે કોંગ્રેસ હવે જાગી, શનિવારથી મેદાને પડશે

ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન અને તેમની વિવિધ માંગણીઓના સમર્થનમાં કોંગ્રેસે રાજ્યભરમાં મોટા કાર્યક્રમોની જાહેરાત કરી છે. કોંગ્રેસ દ્વારા 1 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી રાજ્યના તમામ તાલુકા મથકે ધરણાં કાર્યક્રમો યોજવામાં આવશે, જેમાં મામલતદાર કચેરી સુધી પદયાત્રા કરીને ખેડૂતોની માંગણીઓ સાથેનું આવેદનપત્ર આપવામાં આવશે.

આ ઉપરાંત, 6 નવેમ્બરના રોજ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીને આવેદનપત્ર આપવામાં આવશે. આ સિવાય, 6 નવેમ્બરથી 13 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રના 10 જિલ્લામાં 'ખેડૂત આક્રોશ યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાની શરૂઆત 6 નવેમ્બરના રોજ સોમનાથથી થશે, જેમાં કોંગ્રેસના નેતાઓ ખેડૂતો સાથે સંવાદ કરીને તેમની મુશ્કેલીઓ સાંભળશે. 10 જિલ્લાનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ આ યાત્રાનું સમાપન 13 નવેમ્બરના રોજ દ્વારકા ખાતે થશે.

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામનગર ચોક મોટેરા સ્ટેડિયમ સુધી પદયાત્રા યોજી કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. ભાજપ સરદાર વલ્લભભાઈ પટેલનું યોગદાન ખતમ કરવાનો પ્રયાસ કરી રહી હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના દિવસે મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલવા માટેની માગ ઉઠી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલી સરદાર પટેલ સ્ટેડિયમ કરવા માટે કોંગ્રેસ દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો છે. 2028માં નરેન્દ્ર મોદીની સ્ટેડિયમનું નામ બદલી સરદાર પટેલ સ્ટેડિયમ નામ કરવા માટે કોંગ્રેસના નેતાઓએ સંકલ્પ લીધો છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow