બ્રિટનમાં ખાલિસ્તાન સમર્થકોએ ભારતનો તિરંગો નીચે ઉતાર્યો!

બ્રિટનમાં ખાલિસ્તાન સમર્થકોએ ભારતનો તિરંગો નીચે ઉતાર્યો!

ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ વિરુદ્ધ કાર્યવાહીના વિરોધમાં લંડનમાં ભારતીય હાઈ કમીશનમાં તોડફોડ કરી. રવિવારે સાંજે હજારોની સંખ્યામાં ખાલિસ્તાન સમર્થક હાઈ કમીશન બહાર એકઠા થયા હતાં. બિલ્ડિંગમાં ઘૂસ્યા અને તિરંગો નીચે ઉતારી લીધો.

ખાલિસ્તાન સમર્થકોના હાથમાં ખાલિસ્તાની તિરંગો અને અમૃતપાલ સિંહના પોસ્ટર હતાં. પોસ્ટર્સ ઉપર લખ્યું, ‘ફ્રી અમૃતપાલ સિંહ’ (અમૃતપાલને આઝાદ કરો), ‘વી વોન્ટ જસ્ટિસ’(અમને ન્યાય જોઈએ) અને ‘વી સ્ટેન્ડ વિથ અમૃતપાલ સિંહ’(અમે અમૃતપાલ સાથે છીએ). એક વ્યક્તિને ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ કહેતા પણ સાંભળવામાં આવી. બીજી બાજુ, ભારતે આનો સખત વિરોધ કર્યો અને દિલ્હીમાં બ્રિટિશ હાઈ કમિશનરને સસપેન્ડ કર્યાં.

પોલીસ અમૃતપાલના 114 લોકોની ધરપકડ કરી ચૂકી છે
જોકે, અજનાલા પોલીસ સ્ટેશન ઉપર હુમલાના આરોપી અમૃતપાલને પકડવા માટે પંજાબ પોલીસે છેલ્લાં ત્રણ દિવસથી રાજ્યના વિવિધ ભાગમાં અભિયાન હાથ ધર્યું છે. પોલીસે રવિવારે અમૃતપાલના 34 અન્ય સાથીઓની ધરપકડ કરી. અત્યાર સુધી પોલીસ 144 લોકોની ધરપકડ કરી ચૂકી છે. તે આખા વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે. ત્યાં જ, અમૃતપાલના સમર્થકોએ દાવો કર્યો છે કે તેને મોડી રાતે પોલીસે કસ્ટડીમાં લીધા છે. જોકે, પોલીસ આ વાત નકારી રહી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow