વરરાજા સહિત નાળામાં ખાબકી બગ્ગી

વરરાજા સહિત નાળામાં ખાબકી બગ્ગી

ઉત્તરપ્રદેશના અલીગઢમાં એક ચોંકાવનારી ઘટના બની. વરરાજાનું ફુલેકું નીકળ્યું અને વરરાજા સહિત બગી ગટરમાં ખાબકી ગઈ. જેના કારણે વરરાજા અને ઘોડો બંને ગંદા નાળામાં ફસાયા. લોકોએ ભારે જહેમત બાદ વરરાજાને બહાર કાઢ્યો પરંતુ, ઘોડો બચી ન શક્યો. આ ઘટનામાં ઘોડાનું મોત થતા માલિકે વળતર આપવાની માગ કરી. સમગ્ર ઘટના કુઅરસી વિસ્તારના એટા ચુંગી બાયપાસની છે. ઘોડાનાં માલિક વીરપાલ સિંહે કહ્યું કે જાનૈયાઓમાંથી અમુક લોકો નશાની હાલતમાં હતા જેનાં કારણે ઘોડાની લગામ ઢીલી પડતા એ નાળામાં પડ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે અજાણ્યા લોકો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઘટના બાદ બીજા દિવસે સવારે ઘોડાના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને પોલીસે પણ ઘોડાના મોત અંગે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો. કેસ નોંધાયા બાદ ઘોડાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. તે જ સમયે, આ ઘટનાના સીસીટીવી હવે વાયરલ થઈ રહી છે. ગેસ્ટ હાઉસ પાસે જ્યાં જાનૈયાઓ ડાન્સ કરી રહ્યા હતા તે ગેસ્ટ હાઉસની બહાર જ જાનને રોકી દેવામાં આવી હતી.

ઘટના દરમિયાન અચાનક ઘોડાની લગામ ઢીલી પડી જતાં તે બાજુની ગટરમાં પડી ગયો હતો. ગાડી ઘોડાની ઉપર પડી અને વર પણ કૂદીને ઘોડાની ઉપર પડ્યો. જેમાં તેના તમામ કપડા કાદવથી ધસી ગયા હતા. લોકો ઉતાવળે વરરાજાને બહાર લઈ ગયા. વરરાજા ટૂંકમાં બચી ગયો પરંતુ ઘોડો ગાડી નીચે આવતા મૃત્યું પામ્યો.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow