ખાદ્યપદાર્થોના ભાવ વધ્યા, ઓક્ટોબરમાં તે -1.21% પર હતી

ખાદ્યપદાર્થોના ભાવ વધ્યા, ઓક્ટોબરમાં તે -1.21% પર હતી

નવેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી (WPI) વધીને -0.32% પર પહોંચી ગઈ છે. ખાદ્યપદાર્થો મોંઘા થવાથી મોંઘવારી વધી છે. આ પહેલા ઓક્ટોબરમાં તે -1.21% પર આવી ગઈ હતી.

જ્યારે સપ્ટેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી 0.13% અને ઓગસ્ટમાં તે 0.52% રહી હતી. વાણિજ્ય મંત્રાલયે આજે એટલે કે 15 ડિસેમ્બરે જથ્થાબંધ મોંઘવારીના આંકડા જાહેર કર્યા છે.

નવેમ્બરમાં છૂટક મોંઘવારી દર ઓક્ટોબરના 0.25%થી થોડો વધીને 0.71% પર પહોંચી ગયો છે. નવેમ્બર મહિનામાં મોંઘવારીમાં વધારો શાકભાજી, ઇંડા, માંસ-માછલી, મસાલા, ઇંધણ અને વીજળીના ભાવ વધવાને કારણે થયો છે. છૂટક મોંઘવારીના આંકડા 12 ડિસેમ્બરે જાહેર થયા હતા.

હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI)નો સામાન્ય માણસ પર અસર જથ્થાબંધ મોંઘવારી લાંબા સમય સુધી વધતી રહેવાથી મોટાભાગના ઉત્પાદક ક્ષેત્રો પર તેની ખરાબ અસર પડે છે. જો જથ્થાબંધ ભાવ ખૂબ લાંબા સમય સુધી ઊંચા સ્તરે રહે છે તો ઉત્પાદકો તેનો બોજ ગ્રાહકો પર નાખી દે છે. સરકાર ફક્ત ટેક્સ દ્વારા WPIને નિયંત્રિત કરી શકે છે.

જેમ કે ક્રૂડ ઓઇલમાં તીવ્ર વધારાની સ્થિતિમાં સરકારે ઇંધણ પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. જોકે, સરકાર ટેક્સ કપાત એક મર્યાદામાં જ ઘટાડી શકે છે. WPIમાં વધુ વેઇટેજ મેટલ, કેમિકલ, પ્લાસ્ટિક, રબર જેવા ફેક્ટરી સંબંધિત સામાનનું હોય છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow