કેટરિના કૈફના ઘરે ટૂંક સમયમાં પારણું બંધાશે!

કેટરિના કૈફના ઘરે ટૂંક સમયમાં પારણું બંધાશે!

બોલિવૂડના સૌથી પોપ્યુલર કપલના ઘરે ટૂંક સમયમાં પારણું બંધાવાનું છે. એક્ટ્રેસ કેટરિના કૈફ અને એક્ટર વિક્કી કૌશલ ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં તેમના પહેલા બાળકને વેલકમ કરવા જઈ રહ્યાં હોવાની કપલની નજીકનાં સૂત્રોએ પુષ્ટિ કરી છે. બાળકના જન્મ બાદ માતૃત્વનો આનંદ માણવા કેટરિના લાંબી રજા પર જવાની હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન બાદથી જ કેટરિનાની પ્રેગ્નન્સીના સમાચારો ચર્ચામાં રહે છે. અગાઉ અનેક વખત એક્ટ્રેસ પ્રેગ્નન્ટ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. થોડા સમય પહેલાં કેટ અને વિક્કી લાંબા સમય બાદ સાથે દેખાયાં હતાં. મુંબઈ નજીક આવેલા અલીબાગ ખાતે વેકેશન માણવા માટે જઈ રહ્યાં હતાં એ સમયે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો, જેમાં એક્ટ્રેસે પહેરેલાં ઢીલાં કપડાં અને વિક્કીને કેટરિનાની સંભાળ રાખતો જોઈને ફેન્સમાં પ્રેગ્નન્સીની અટકળો વહેતી થઈ હતી.

જોકે અહેવાલો મુજબ કપલની નજીકનાં સૂત્રોએ કેટરિનાની પ્રેગ્નન્સીના સમાચારની પુષ્ટિ આપી છે. NDTVના અહેવાલ મુજબ, 'કપલની નજીકનાં સૂત્રોએ પુષ્ટિ આપી છે કે વિક્કી અને કેટરિના ઓક્ટોબર કે નવેમ્બરમાં પહેલી વખત માતા-પિતા બનશે, પરંતુ તેમણે આ અંગે હજુ સુધી મગનું નામ મરી પાડ્યું નથી.

NDTVએ સૂત્રોને ટાંકીને એમ પણ લખ્યું છે કે 'બાળકના જન્મ પછી કેટરિના લાંબી મેટરનિટી લીવ પર જવાની છે, તે તેના બાળકનો જાતે ઉછેર કરવા માગે છે.'

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow