કેટરીના કૈફે લગ્ન પછીના પહેલા ‘કરવાચોથ’ નો અનુભવ કર્યો શેર

કેટરીના કૈફે લગ્ન પછીના પહેલા ‘કરવાચોથ’ નો અનુભવ કર્યો શેર

તાજેતરમાં જ ‘કરવાચોથ’ નો તહેવાર હતો જેમાં બધી જ સુહાગણ મહિલાએ પોતાના પતિ માટે વ્રત અને ઉપવાસ રાખીને આ તહેરવાની ઉજવણી કરી હતી. જો કે કરવાચોથ સાથે જોડાયેલ ઘણી તસ્વીરો પણ હાલમાં સોસીયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે, જેમાં પત્નીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાથના કરતી જોવા મળી છે.

જો કે સામાન્ય લોકોએ જ ‘કરવાચોથ’ નો તહેવાર ઉજવ્યો હોય તેવું નથી, કારણ કે ઘણા બોલીવૂડ સ્ટાર્સે પણ આ તહેવારની ઉજવણી કરી હતી, જેમાં કેટરીના કૈફે પણ પોતાના પતિ વિકી કૌશલ સાથે પહેલા ‘કરવાચોથ’ ની ઉજવી કરી હતી. આટલું જ નહિ પરંતુ અભિનેત્રીએ આ સમયના પોતાના અનુભવને લોકો સાથે શેર પણ કર્યા છે.

સુત્રો મુજબ કેટરીનાએ જણાવ્યું કે તેને ભારતીય પરંપરાઓ અને રીતરિવાજો ખૂબ જ પસંદ છે.આવી સ્થિતિમાં જયારે તેમના લગ્ન થયા અને કરાવવાચોથ વિશે ખબર પડી ત્યારથી તે તેના માટે ઉત્સાહિત હતી. જો કે આ સમયે તેણે પોતાના પતિ માટે વ્રત રાખી ઉપવાસ કર્યો હતો, આટલું જ નહિ પરંતુ ચંદ્ર જોઇને પતિ સાથે આની ઉજવણી કરી હતી.

અભિનેત્રીએ તો એવું પણ જણાવ્યું કે આ માટે તેઓએ માનસિક રીતે તૈયાર કરી હતી, કારણ કે આ સમયે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.ખાસ કરીને ખૂબ ભૂખ લાગી હતી. જયારે કેટરીનાએ વધુમાં જણાવ્યું કે તેના માટે સૌથી ખાસ વાત એ હતી કે તેના પતિએ પણ તેના માટે ઉપવાસ રાખ્યો હતો.

તમને જણાવી દઈએ કે લગ્ન પછી કેટરીનાની આ પહેલી કરાવવા ચોથ હતી.જેમાં આખા પરિવારે પણ તેમને ટેકો આપ્યો અને તહેવારને ખાસ બનાવ્યો હતો, જયારે અભિનેત્રીએ તાજેતરમાં તેમના આ ખાસ દિવસની કેટલીક તસ્વીરો પણ ચાહકો સાથે શેર કરી છે, જેમાં અભિનેત્રી ખુશ સુંદર રીતે તૈયાર થયેલી જોવા મળી છે.ચાહકો તેમની આ બધી તસ્વીરો પણ ખુબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow