KBC 14ની પહેલી કરોડપતિ:12 ધોરણ પાસ કવિતા ચાવલા એક કરોડ રૂપિયા જીતી, 21 વર્ષે સપનું પૂરું થયું

KBC 14ની પહેલી કરોડપતિ:12 ધોરણ પાસ કવિતા ચાવલા એક કરોડ રૂપિયા જીતી, 21 વર્ષે સપનું પૂરું થયું

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં રહેતી કવિતા ચાવલા 'કૌન બનેગા કરોડપતિ'ની 14મી સિઝનની પહેલી કરોડપતિ સ્પર્ધક બની છે. કવિતા સાડા સાત કરોડ રૂપિયાનો છેલ્લા સવાલનો જવાબ આપે છે કે નહીં, તે હજી સુધી ક્લિયર થયું નથી. કવિતા વર્ષ 2000થી આ શોમાં ભાગ લેવા માગતી હતી, પરંતુ તેનું સપનું 21 વર્ષ બાદ પૂરું થયું.

પરિવારને સરપ્રાઇઝ આપશે
કવિતાએ એક ઇન્ટવ્યૂમાં કહ્યું હતું, 'અહીં સુધી આવવા બદલ હું ઘણી જ ખુશ છું. મને મારી જાત પર ગર્વ થઈ રહ્યો છે. હું એક કરોડ જીતનારી પહેલી સ્પર્ધક બની છું. મારો દીકરો વિવેક ને પિતા મારી સાથે મુંબઈમાં છે. મારા પરિવારમાં કોઈને ખ્યાલ નથી કે હું એક કરોડ રૂપિયા જીતી ચૂકી છું. હું ઈચ્છું છું કે તેઓ આ શો જુએ અને તેમને સરપ્રાઇઝ મળે.'

માત્ર 12 ધોરણ પાસ છે
કવિતાએ બાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. તેને અભ્યાસમાં ઘણો જ રસ છે. કવિતાએ કહ્યું હતું, 'આ શોને કારણે હું સતત વાંચતી હતી. વર્ષ 2000માં જ્યારે આ શો શરૂ થયો ત્યારથી હું આ શોમાં ભાગ લેવા માગતી હતી. ગયા વર્ષે હું ફાસ્ટેસ્ટ ફિંગર રાઉન્ડ સુધી પહોંચી ગઈ હતી. આ વર્ષે હોટ સીટ પર બેસવાનું મારું સપનું સાકાર થયું. જ્યારે હું મારા દીકરાને ભણાવતી ત્યારે તેની સાથે હું પણ ઘણું બધું શીખતી હતી.'

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow