કાજોલે 'સલામ વેન્કી'માં આમિર ખાનના પાત્રને લઇને ઉઠાવ્યો પડદો, ઈન્ટરવ્યુમાં કર્યા ભરપૂર વખાણ

કાજોલે 'સલામ વેન્કી'માં આમિર ખાનના પાત્રને લઇને ઉઠાવ્યો પડદો, ઈન્ટરવ્યુમાં કર્યા ભરપૂર વખાણ

કાજોલ અપકમિંગ ફિલ્મ સલામ વેન્કીના પ્રમોશનમાં વ્યસ્ત

આ ફિલ્મમાં કાજોલની સાથે ફનામાં તેમના કો-સ્ટાર રહેલા આમિર ખાન પણ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યાં છે. કાજોલ હાલમાં અપકમિંગ ફિલ્મ સલામ વેન્કીને લઇને ચર્ચામાં છવાઈ છે. ફિલ્મના પ્રમોશનમાં તેમણે કોઈ કસર બાકી રાખી નથી. રેવતીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ સલામ વેન્કી એક બુક પર આધારિત છે, જેમાં કાજોલ એક બિમાર યુવકની માંની ભૂમિકામાં જોવા મળશે.

આમિર ખાન સાથે સ્ક્રીન શેર કરશે

ફિલ્મને હિટ કરાવવાના પ્રયાસમાં કાજોલ અત્યારે ફિલ્મનુ સારી રીતે પ્રમોશન કરી રહી છે. આ ફિલ્મની ખાસ વાત એવી પણ છે કે તેમાં કાજોલ ફનાના પોતાના કો-સ્ટાર આમિર ખાનની સાથે એક વખત ફરીથી સ્ક્રીન શેર કરવાની છે. આ ફિલ્મમાં આમિર ખાન કેમિયો કરતા દેખાશે. હાલમાં એક ઈન્ટરવ્યુ દરમ્યાન કાજોલે ફિલ્મમાં આમિર ખાનના પાત્રને લઇને વાત કરી છે.

આમિર દરેક પાત્રમાં પોતાના પ્રાણ ફૂંકી દે છે

કાજોલે હાલમાં એક અખબારને આપેલા પોતાના ઈન્ટરવ્યુમાં પોતાની ફિલ્મ અને ફિલ્મમાં દેખાતા તેમના કો-સ્ટાર આમિર ખાનને લઇને વાતચીત કરી હતી. જે અંગે જણાવતા કાજોલે કહ્યું, આમિર ખાન આ ફિલ્મમાં અમેજિંગ અને ધમાકેદાર રીતે પોતાને રજૂ કરવાના છે. તેમના વિશે સારી વાત એ છે કે તેઓ જે પણ કામ કરે છે. તેના માટે તેઓ સ્ટાઈલાઈજ્ડ હોતા નથી. અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે તેઓ પોતાના દરેક રોલમાં કઈક સારું આપવાનો પ્રયાસ કરે છે, તેઓ ક્યારેય વિચારતા નથી કે મને બધુ આવડી ગયુ છે. કાજોલે જણાવ્યું કે આમિરની કામ કરવાની રીત બિલકુલ અલગ છે. તેઓ એક શાનદાર અભિનેતા છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow