જય શાહે મેસ્સીને T20 વર્લ્ડ કપની ટિકિટ આપી

જય શાહે મેસ્સીને T20 વર્લ્ડ કપની ટિકિટ આપી

સોમવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સીનું સન્માન કરવામાં આવ્યું. ICCના અધ્યક્ષ જય શાહે તેમને T20 વર્લ્ડ કપ માટે આમંત્રણ ટિકિટ અને ભારતીય ક્રિકેટ ટીમની જર્સી ભેટમાં આપી. જય શાહે મેસ્સીને દિગ્ગજ ક્રિકેટરોના ઓટોગ્રાફવાળું બેટ પણ ભેટમાં આપ્યું.

મેસ્સીએ સૌથી પહેલા હાથ હલાવીને સ્ટેડિયમમાં હાજર ચાહકોનું અભિવાદન કર્યું. ત્યારબાદ તેણે રોડ્રિગો ડી પોલ અને લુઇસ સુઆરેઝ સાથે કિક કરીને ફેન્સને ફૂટબોલ આપ્યો. તેની એક કિકથી ફુટબોલ સ્ટેડિયમના બીજા માળે પહોંચી ગયો. અહીં મેસ્સી બાળકો સાથે ફૂટબોલ પણ રમ્યો. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, સ્ટાર ફૂટબોલર આજે અનંત અંબાણીના આમંત્રણ પર વનતારાની મુલાકાત લઈ શકે છે અને રાત્રિ રોકાણ પણ કરી શકે છે.

આ પહેલા મેસ્સીની એક ઝલક જોવા માટે સ્ટેડિયમની બહાર ચાહકોની મોટી ભીડ એકઠી થઈ હતી. તેમનું રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વહેલી સવારે આગમન થવાનું હતું, પરંતુ દિલ્હીમાં ભારે ધુમ્મસને કારણે તેમની ફ્લાઇટ રોકાઈ ગઈ હતી, જેના કારણે મેસ્સીને થોડા સમય માટે મુંબઈ એરપોર્ટ પર રોકાવાની ફરજ પડી હતી

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow