બીમારી જાણવા જુનિયર ડૉક્ટરો ચેટબોટ્સની મદદ લઇ રહ્યા છે

બીમારી જાણવા જુનિયર ડૉક્ટરો ચેટબોટ્સની મદદ લઇ રહ્યા છે

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આ દિવસોમાં હોમવર્કથી લઈને અરજી કરવા અને સારવારમાં પણ થાય છે. પરંતુ આ સાથે સમસ્યા એ છે કે તે ખોટાં સૂચનો પણ આપી શકે છે. તેના ફાયદા અને ગેરફાયદા જાણવા માટે બોસ્ટન કે બેથ ઇઝરાયલ ડેકોનેસ મેડિકલ સેન્ટરે એક પ્રયોગ કર્યો. જે હેઠળ મહિલા દર્દીની બીમારી જાણવા માટે નિષ્ણાતે ચેટજીપીટીની મદદ લીધી તો પરિણામો ચોંકાવનારાં મળ્યાં. એક્સપર્ટે ચેતવણી આપી છે કે ચેટબોટ્સનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો જોઈએ. તેના માટે શીખવું જરૂરી છે.

ડૉ. ChatGPT-4. હકીકતમાં એઆઈ સારવાર માટેનાં ઘણાં પાસાંઓ બદલી રહી છે. તેથી જ પ્રોફેશનલ્સ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ભવિષ્યના ડૉક્ટરોને ટ્રેનિંગ આપવામાં ચેટબોટ્સ કઈ રીતે ફાયદાકારક બની શકે છે ડાૅ. રોડમેનના જણાવ્યા મુજબ સ્ક્રીપ્ટથી મદદ ન મળે, તો ડાૅક્ટરો નવી રણનીતિ ઘડે છે. આ એક્સરસાઇઝમાં ડાૅક્ટરોએ chatgpt4ને પૂછ્યું તો તેણે અલગ-અલગ ગ્રૂપને અલગ કારણો જણાવ્યાં. પહેલાં આ સમસ્યાને ઘૂંટણની ઇજા સાથે જોડી. બીજા ગ્રૂપને લાઇમ રોગ (જંતુના કરડવાથી) અને સંધિવાની સમસ્યાને અન્યને રુમેટાઇડ સંધિવા જણાવ્યો. નિષ્ણાતે સ્પષ્ટતા કરી કે મહિલા વૃદ્ધ નથી, તેથી સંધિવા તો નથી. રુમેટાઇડ સંધિવા પણ નથી, કેમ કે પીડા એક સાંધામાં હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow