જિઓ ફાઇનાન્સિયલનું 21 ઓગસ્ટે લિસ્ટિંગ, કિંમત રૂ. 261.85 પ્રતિ શેર રહી શકે

જિઓ ફાઇનાન્સિયલનું 21 ઓગસ્ટે લિસ્ટિંગ, કિંમત રૂ. 261.85 પ્રતિ શેર રહી શકે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એટલે કે RILનો ફાઇનાન્શિયલ સર્વિસનો વ્યવસાય ‘જિયો ફાયનાન્સિયલ સર્વિસિસ’ આજે (20 જુલાઈ) ડીમર્જર થઈ ગઈ છે. રિલાયન્સના શેરધારકોને જિઓ ફાઇનાન્સિયલનો બોનસ શેર રૂ.261.85ના મૂલ્યમાં મળ્યો હતો. જેના પગલે જિઓ ફાઈનાન્સિયલ સર્વિસિસનું શેરબજારને આપવામાં આવેલી માહિતી અનુસાર 21 ઓગસ્ટ 2023ના રોજ શેરબજારો પર લિસ્ટિંગ થશે.

જિઓ ફાઇનાન્સિયલ સર્વિસ લિ. (JFSL) જુલાઇ માસમાં રિલાયન્સમાંથી ડિમર્જ થઈ હતી અને ડિમર્જ પછી તેના શેરની વેલ્યૂ રૂ.261.85 પર ડમી ટિકર હેઠળ લિસ્ટેડ છે પરંતુ સ્ક્રીપમાં કોઈ ટ્રેડિંગ થઈ રહ્યું નથી.

બીએસઈ અને એસએસઈ પર લિસ્ટિંગ ધરાવતી JFSLને ફિત્સીઈ રસેલે સૂચકાંકોમાંથી પડતું મૂકવાનું વિચાર્યું હતું, જેનું કારણ ઈન્ડેક્સ સર્વિસ પ્રોવાઈડરે માહિતી આપતા જણાવ્યું હતું કે શેરનું હજુ શેરબજાર પર ટ્રેડિંગ થતું નથી.

હજી આ જાહેરાતના એક દિવસ પછી બીએસઈએ એક નોટિસમાં જણાવ્યું હતું, એક્સચેન્જના ટ્રેડિંગ સભ્યોને આથી જાણ કરવામાં આવે છે કે સોમવાર, 21 ઓગસ્ટ 2023થી પ્રભાવી બને તે રીતે JFSLના ઇક્વિટી ટી ગ્રુપ ઓફ સિક્યોરિટીઝાં શેર સૂચિબદ્ધ કરવામાં આવશે અને એક્સચેન્જ પરના સોદામાં સ્વીકારવામાં આવશે. સંક્ષિપ્ત સ્વરૂપ JIOFIN હશે, તે 10 ટ્રેડિંગ દિવસો માટે ટ્રેડ-ફોર-ટ્રેડ સેગમેન્ટમાં રહેશે. JFSL નાણાકીય સેવાઓના ઉકેલોની વ્યાપક શ્રેણી ઓફર કરશે અને વીમા, ડિજિટલ પેમેન્ટ અને એસેટ મેનેજમેન્ટ વર્ટિકલ્સમાં કામગીરીને વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow