જિઓ ફાઇનાન્સિયલનું 21 ઓગસ્ટે લિસ્ટિંગ, કિંમત રૂ. 261.85 પ્રતિ શેર રહી શકે

જિઓ ફાઇનાન્સિયલનું 21 ઓગસ્ટે લિસ્ટિંગ, કિંમત રૂ. 261.85 પ્રતિ શેર રહી શકે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એટલે કે RILનો ફાઇનાન્શિયલ સર્વિસનો વ્યવસાય ‘જિયો ફાયનાન્સિયલ સર્વિસિસ’ આજે (20 જુલાઈ) ડીમર્જર થઈ ગઈ છે. રિલાયન્સના શેરધારકોને જિઓ ફાઇનાન્સિયલનો બોનસ શેર રૂ.261.85ના મૂલ્યમાં મળ્યો હતો. જેના પગલે જિઓ ફાઈનાન્સિયલ સર્વિસિસનું શેરબજારને આપવામાં આવેલી માહિતી અનુસાર 21 ઓગસ્ટ 2023ના રોજ શેરબજારો પર લિસ્ટિંગ થશે.

જિઓ ફાઇનાન્સિયલ સર્વિસ લિ. (JFSL) જુલાઇ માસમાં રિલાયન્સમાંથી ડિમર્જ થઈ હતી અને ડિમર્જ પછી તેના શેરની વેલ્યૂ રૂ.261.85 પર ડમી ટિકર હેઠળ લિસ્ટેડ છે પરંતુ સ્ક્રીપમાં કોઈ ટ્રેડિંગ થઈ રહ્યું નથી.

બીએસઈ અને એસએસઈ પર લિસ્ટિંગ ધરાવતી JFSLને ફિત્સીઈ રસેલે સૂચકાંકોમાંથી પડતું મૂકવાનું વિચાર્યું હતું, જેનું કારણ ઈન્ડેક્સ સર્વિસ પ્રોવાઈડરે માહિતી આપતા જણાવ્યું હતું કે શેરનું હજુ શેરબજાર પર ટ્રેડિંગ થતું નથી.

હજી આ જાહેરાતના એક દિવસ પછી બીએસઈએ એક નોટિસમાં જણાવ્યું હતું, એક્સચેન્જના ટ્રેડિંગ સભ્યોને આથી જાણ કરવામાં આવે છે કે સોમવાર, 21 ઓગસ્ટ 2023થી પ્રભાવી બને તે રીતે JFSLના ઇક્વિટી ટી ગ્રુપ ઓફ સિક્યોરિટીઝાં શેર સૂચિબદ્ધ કરવામાં આવશે અને એક્સચેન્જ પરના સોદામાં સ્વીકારવામાં આવશે. સંક્ષિપ્ત સ્વરૂપ JIOFIN હશે, તે 10 ટ્રેડિંગ દિવસો માટે ટ્રેડ-ફોર-ટ્રેડ સેગમેન્ટમાં રહેશે. JFSL નાણાકીય સેવાઓના ઉકેલોની વ્યાપક શ્રેણી ઓફર કરશે અને વીમા, ડિજિટલ પેમેન્ટ અને એસેટ મેનેજમેન્ટ વર્ટિકલ્સમાં કામગીરીને વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow