જાપાનના વિદેશ મંત્રી હયાશી ભારતની મુલાકાતે

જાપાનના વિદેશ મંત્રી હયાશી ભારતની મુલાકાતે

જાપાનના વિદેશ મંત્રી યોશિમાસા હયાશી બે દિવસીય ભારતની મુલાકાતે છે. તેમણે શુક્રવારે (28 જુલાઈ) દિલ્હી મેટ્રોમાં સવારી કરી હતી. તેમની તસવીરો જાપાનના વિદેશ મંત્રાલયે શેર કરી છે. આ દરમિયાન તેમની સાથે સ્ટાફ અને સિક્યુરિટી હાજર હતા.

જાપાનના વિદેશ મંત્રી યોશિમાસા હયાશી 27 જુલાઈના રોજ જ દિલ્હી પહોંચ્યા હતા. તેઓ ભારતની બે દિવસની મુલાકાતે છે. આ વર્ષે તેમની આ બીજી ભારત મુલાકાત છે. આ પહેલા તેઓ ક્વોડ કન્ટ્રીની બેઠકમાં 23 માર્ચે ભારત આવ્યા હતા.

ભારત અને જાપાન વચ્ચે આ 15મી વ્યૂહાત્મક વાતચીત છે, જેમાં બંને દેશોની વૈશ્વિક ભાગીદારીની વાત કરવામાં આવી રહી છે. વાસ્તવમાં જાપાનના વિદેશ મંત્રી હયાસી દક્ષિણ એશિયાઈ દેશોના સમૂહની મુલાકાતે છે.

ભારત-જાપાન ફોરમમાં ભાગ લીધો
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને જાપાનના વિદેશ મંત્રી યોશિમાસા હયાશીએ ભારત-જાપાન ફોરમમાં હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન એસ જયશંકરે કહ્યું કે જાપાનનો અર્થ ભારત માટે ઘણો છે. જાપાને છેલ્લા કેટલાક વર્ષોમાં ટેક્નોલોજીમાં અદભૂત વિકાસ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ઘણી પ્રગતિ કરી રહ્યું છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow