જાપાનના વિદેશ મંત્રી હયાશી ભારતની મુલાકાતે

જાપાનના વિદેશ મંત્રી હયાશી ભારતની મુલાકાતે

જાપાનના વિદેશ મંત્રી યોશિમાસા હયાશી બે દિવસીય ભારતની મુલાકાતે છે. તેમણે શુક્રવારે (28 જુલાઈ) દિલ્હી મેટ્રોમાં સવારી કરી હતી. તેમની તસવીરો જાપાનના વિદેશ મંત્રાલયે શેર કરી છે. આ દરમિયાન તેમની સાથે સ્ટાફ અને સિક્યુરિટી હાજર હતા.

જાપાનના વિદેશ મંત્રી યોશિમાસા હયાશી 27 જુલાઈના રોજ જ દિલ્હી પહોંચ્યા હતા. તેઓ ભારતની બે દિવસની મુલાકાતે છે. આ વર્ષે તેમની આ બીજી ભારત મુલાકાત છે. આ પહેલા તેઓ ક્વોડ કન્ટ્રીની બેઠકમાં 23 માર્ચે ભારત આવ્યા હતા.

ભારત અને જાપાન વચ્ચે આ 15મી વ્યૂહાત્મક વાતચીત છે, જેમાં બંને દેશોની વૈશ્વિક ભાગીદારીની વાત કરવામાં આવી રહી છે. વાસ્તવમાં જાપાનના વિદેશ મંત્રી હયાસી દક્ષિણ એશિયાઈ દેશોના સમૂહની મુલાકાતે છે.

ભારત-જાપાન ફોરમમાં ભાગ લીધો
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને જાપાનના વિદેશ મંત્રી યોશિમાસા હયાશીએ ભારત-જાપાન ફોરમમાં હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન એસ જયશંકરે કહ્યું કે જાપાનનો અર્થ ભારત માટે ઘણો છે. જાપાને છેલ્લા કેટલાક વર્ષોમાં ટેક્નોલોજીમાં અદભૂત વિકાસ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ઘણી પ્રગતિ કરી રહ્યું છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow