ઈટાલી છ વર્ષથી મહિલાઓનાં પીરિયડ્સ વખતે રજાનો નિર્ણય નથી લેવાતો

ઈટાલી છ વર્ષથી મહિલાઓનાં પીરિયડ્સ વખતે રજાનો નિર્ણય નથી લેવાતો

પીરિયડ્સ દરમિયાન મહિલાઓને રજા આપનાર સ્પેન પહેલો યુરોપિયન દેશ બન્યો છે. સ્પેન પહેલા ઈટાલીમાં પીરિયડ્સ દરમિયાન રજા આપવાનો મામલો છ વર્ષ પહેલા ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ કોઈ નક્કર નિર્ણય લઈ શકાયો ન હતો. જ્યોર્જિયા મેલોની ઈટાલીના નવા વડાપ્રધાન બન્યા બાદ હવે આ મામલો ફરી ઉઠાવવામાં આવ્યો છે. ઇટાલિયન ગ્રીન-લેફ્ટ ગઠબંધનએ એક નવું બિલ રજૂ કર્યું છે, જેમાં પીરિયડ્સ દરમિયાન મહિલાઓ, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે રજાની જોગવાઈ કરાઇ છે. હવે જોવાનું એ રહે છે કે ઈટાલીની સંસદ તેને મંજૂરી આપશે કે નહીં.

તેમ છતાં અન્ય યૂરોપિયન દેશની સરખામણીમાં ઇટાલીમાં સૌથી ઓછો મહિલા રોજગાર દર 51. 6 ટકા છે. આની પાછળ કારણ એ છે કે, ઇન્ટરવ્યૂ દરમિયાન મહિલાઓને તેમના અંગત જીવન સાથે સંબંધિત પ્રશ્ન પુછવામાં આવે છે. કાયદાકીય રીતે આ પ્રકારનાં સવાલ કરી શકાય નહીં, પરંતુ પુરૂષલક્ષી માનસિકતાનાં કારણે આવા સવાલ થાય તે સ્વાભાવિક છે. ઇટાલીની સંસ્થા આઇપીસોસની શોધમાં જાણવા મળ્યું છે કે, નોકરી માટે ઇન્ટરવ્યૂ આપનાર 28 ટકા મહિલાઓને ગર્ભાવસ્થાની યોજના અંગે સવાલ કરવામાં આવે છે. જેના જવાબ તેમની વરણી રોકી શકે છે. ખાસ કરીને માતા બનવાની યોજના બનાવી રહેલી મહિલાઓની નિમણૂંકોને રોકી શકે છે.

કેટલીક મહિલાઓને ભય રહે છે કે, પીરિયડ્સ દરમિયાન લીવથી તેમના વેતનને કાપી લેવામાં આવશે. ઇટાલીની અર્થશાસ્ત્રી ડેનિએલા પિઆજ્જાલુંગાએ દાવો કર્યો છે કે, આવા કાયદા બનવાથી મહિલા કર્મચારીઓને વધારે ભેદભાવનો સામનો કરવો પડશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow