ઇઝરાયલી સેનાને ગાઝા પટ્ટીને કબજો કરવાનો આદેશ

ઇઝરાયલી સેનાને ગાઝા પટ્ટીને કબજો કરવાનો આદેશ

ઈઝરાયલે તેની સેનાને સમગ્ર ગાઝા પટ્ટી પર કબજો કરવાનો આદેશ આપ્યો છે. ઈઝરાયલે ગાઝા બોર્ડર પર 1 લાખ સૈનિકો તહેનાત કર્યા છે. સાથે જ 3 લાખ સૈનિકોને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રી યોવ ગેલેન્ટ પણ અધિકારીઓને ગાઝા પટ્ટીમાં ખોરાક, પાણી, વીજળી અને ઈંધણનો પુરવઠો રોકવાનો આદેશ આપ્યો છે.

તે જ સમયે, ઇઝરાયલમાં 9 અમેરિકન અને 10 બ્રિટિશ નાગરિકોના મોત થયા છે. આ પહેલા ફ્રાન્સ, જર્મની અને યુક્રેને પણ હમાસના હુમલામાં પોતાના નાગરિકોના મોતની પુષ્ટિ કરી હતી.

જો કે, સેનાએ સરહદના ઈઝરાયલના વિસ્તારોને હમાસના લડવૈયાઓથી મુક્ત કરાવ્યા છે. જો કે, પેલેસ્ટાઈનમાંથી લડવૈયાઓ હજુ પણ ઈઝરાયલમાં પ્રવેશ કરી રહ્યા છે. બીજી તરફ હમાસે દાવો કર્યો છે કે ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 4 ઈઝરાયલીના પણ મોત થયા છે. તેઓ હમાસની કેદમાં હતા.

ઇઝરાયલની વાયુસેનાએ રાતોરાત હમાસ અને પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદના 500 વોર રૂમનો નાશ કર્યો. યુદ્ધના ત્રીજા દિવસે અત્યાર સુધીમાં 800 ઈઝરાયલીના મોત થયા છે. ઈઝરાયલની જવાબી કાર્યવાહીમાં 500 પેલેસ્ટાઈન માર્યા ગયા છે અને 2000થી વધુ ઘાયલ થયા છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow