ભૂકંપની કળ વળી નથી ત્યાં ઇઝરાયલે એરસ્ટ્રાઇક કરી!

ભૂકંપની કળ વળી નથી ત્યાં ઇઝરાયલે એરસ્ટ્રાઇક કરી!

ઇઝરાઇલે રવિવારે સવારે સીરિયાની રાજધાની દમાસ્કસમાં મિસાઇલ છોડી. સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યૂમન રાઇટ્સના જણાવ્યા પ્રમાણે એક બિલ્ડિંગ ઉપર થયેલાં આ હુમલામાં 15 લોકો મૃત્યુ પામ્યા છે. અનેક લોકો ઘાયલ થયા છે. આ હુમલો કાફર સોઉસેમાં થયો છે. આ વિસ્તારમાં સીરિયાની સિક્યુરિટી એજન્સી, ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટર અને સીનિયર અધિકારીઓના ઘર છે.

સીરિયાની ડિફેન્સ મિનિસ્ટ્રીએ એક નિવેદનમાં કહ્યું કે ઇઝરાઇલે ગોલન હાઇટ્સ તરફથી દમાસ્કસ અને તેની આસપાસના વિસ્તારમાં રહેણાંક સહિત અન્ય ઘણા વિસ્તારો પર હવાઈ હુમલા કર્યા છે. આ પહેલાં ઇઝરાઇલે દમાસ્કસના આસપાસના વિસ્તારોને ઘણી વખત ટાર્ગેટ કર્યા છે પરંતુ પહેલીવાર તેણે રહેણાંક વિસ્તારને ટાર્ગેટ કર્યો છે.

મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે આ હુમલો મિસફાયર્ડ સીરિયન એન્ટી-એરક્રાફ્ટ મિસાઇલ દ્વારા કરવામાં આવ્યો હતો. નિયમો પ્રમાણે, ઇસરાઇલ સેના સીરિયામાં સ્ટ્રાઇક્સ ઉપર કોઈ ટિપ્પણી કરતી નથી, પરંતુ છેલ્લાં 10 વર્ષમાં સીરિયામાં પોતાને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહેલા ઈરાની સમર્થિત જૂથો સામે અનેક હવાઈ હુમલાઓ કર્યા છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow